ગુજરાતમાં બેન્ક સાથે 114 કરોડ છેતરપિંડી મામલે નડિયાદની જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ સામે CBIએ કેસ દાખલ કર્યો છે.
ખેડામાં ગુજરાતની ચોખાની કંપની સામે છેતરપિંડીનો આક્ષેપ
CBIએ રૂ.114 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો
અલગ અલગ 2 સ્થળો પર દરોડા કરીને કાર્યવાહી હાથધરી
ગુજરાતમાં વધુ એક કરોડોની છેતરપિંડી મામલે CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની ચોખા બનાવતી કંપની સામે .114 કરોડની છેતરપિંડીનો કેસ CBIએ દાખલ કર્યો છે. ત્રણ બેંકોને ચોખા કંપનીએ ચૂનો લગાવ્યો છે.
શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ
CBIએ શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ 2 સ્થળો પર દરોડા કરીને કાર્યવાહી હાથધરી હતી. નડિયાદ નજીક આવેલી આ કંપની પર વર્ષ 2010 થી 2015 દરમિયાન બેંકો સાથે રૂ.114 કરોડથી વધુની ગોલમાલનો કર્યાનો આરોપ છે. સમગ્ર મામલે CBIએ ફેક્ટરીના માલિક જયેશ ગણાત્રા, બિપિન ગણાત્રા સામે કેસ નોંધ્યો છે.આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝના તમામ વ્યવહારોને ચેક કરવામાં આવ્યા હતા. અને વર્ષ 2010 લઈ અત્યાર સુધીના બેન્ક તેમજ અન્ય લોકો સાથે કરેલા નાણાકીય લેવડ દેવડની ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોટો છબરડો બહાર આવ્યો છે. બેન્કોને ચૂનો ચોપડી અત્યાર સુધી 114 કરોડની છેતરપિંડી કરાઇ હોવાનો કેસ CBIએ દાખલ કર્યો છે.
વર્ષ 2010 થી 2015 દરમિયાન બેંકો સાથે આચરી છેતરપીંડી