CBIએ દેશમુખ વિરૂદ્ધ એક્શન લીધા છે. અનિલ દેશમુખની વિરુદ્ધ ખંડણી વસૂલવાના મામલામાં એફઆઈઆર નોંધાઇ છે. તો તેમના અનેક ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
સીબીઆઈએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની વિરુદ્ધ ખંડણી વસૂલવાના મામલામાં એફઆઈઆર નોંધી છે અને તેમના અનેક ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સીબીઆઈએ અનિલ દેશમુખની પુછપરછ પણ કરી હતી. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે આરોપ લગાવ્યા હતા.
અનિલ દેશમુખના 2 ખાનગી મદદગારોની પુછપરછ કરી હતી
ગત દિવસોમાં અનિલ દેશમુખની પુછપરછ કરતા પહેલા રવિવારે કેન્દ્રીય એજન્સીએ અનિલ દેશમુખના 2 ખાનગી મદદગારોની પુછપરછ કરી હતી. આ ઉપરાંત એજન્સીએ એનઆઈએની કસ્ટડીમાં રહેલા મુંબઈ પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલા સચિન વાજેના 2 ડ્રાઈવરોની પુછપરછ કરી હતી.
પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દાવો કર્યો હતો કે...
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક વાળી કાર મળવાના મામલામાં એપીઆઈ સચિન વાજેની ધરપકડ બાદ તેને પદ પરથી હટાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી દેશમુખ પોલીસ અધિકારી પાસે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરાવતા હતા અને તે બાદ પરમબીર સિંહ હાઇકોર્ટ પહોંચ્યા હતા.
અનિલ દેશમુખે રાજીનામુ આપ્યું હતુ
અનિલ દેશમુખનુ નામ આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું હતુ. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ અનિલ દેશમુખ સતત વિવાદોમાં હતા અને આ કેસથી મહારાષ્ટ્રની સરકાર પર પણ દબાણમાં હતી.
કોર્ટે ચુકાદો આપ્યા બાદ રાજીનામું આપ્યું હતુ
નોંધનીય છે કે બોમ્બે હાઇકોર્ટ દ્વારા અનિલ દેશમુખ પર મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સમયે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો હતો. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધી હતી.