બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 PM, 22 March 2025
Sushant Singh Rajput Case : સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. શનિવારે (22 માર્ચ, 2025) સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા અંતિમ રિપોર્ટમાં મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ બાદમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.
CBI રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું?
ADVERTISEMENT
પરિવારના આરોપો અને કાનૂની વિવાદો
નોંધનિય છે કે, સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ પટનામાં FIR નોંધાવી હતી, જેમાં તેમના પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી, ચોરી અને ગેરકાયદેસર રીતે કેદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આના કારણે બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે અધિકારક્ષેત્ર અંગે વિવાદ થયો. બિહાર સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસને મંજૂરી આપી હતી. જે પછી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો અધિકાર આપ્યો.
AIIMS ફોરેન્સિક રિપોર્ટનો નિષ્કર્ષ
AIIMS ફોરેન્સિક નિષ્ણાતોએ ઝેર અને ગળું દબાવવાની શક્યતાઓને નકારી કાઢી હતી; આ રિપોર્ટના આધારે, CBI એ તેની તપાસ પૂર્ણ કરી. હવે કોર્ટ નક્કી કરશે કે, સીબીઆઈ રિપોર્ટ સ્વીકારવો જોઈએ કે વધુ તપાસ કરવી જોઈએ.
શું સુશાંતના પરિવાર પાસે કોઈ કાનૂની વિકલ્પ છે?
વાસ્તવમાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટ ફાઇલ થયા પછી સુશાંતના પરિવાર પાસે મુંબઈ કોર્ટમાં વિરોધ અરજી દાખલ કરવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. જો પરિવારને CBI રિપોર્ટ પર શંકા હોય તો તેઓ કોર્ટમાં અપીલ પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
મનોરંજન / સની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ દાખલ, ફિલ્મ 'જાટ'માં સીનને લઈને થયો વિવાદ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.