સુરેન્દ્રનગરનાં સસ્પેન્ડ થયેલા કલેક્ટર કે રાજેશ વિરુદ્ધ CBI એ ગેરકાયદેસર રીતે હથિયાર લાયસન્સ અને સરકારી જમીન ફાળવણી મુદ્દે લાંચ લેવાના આરોપો હેઠળ ચાર્જશીટ ફાઇલ કરી
સસ્પેન્ડેડ IAS કે.રાજેશ સામે CBIએ ચાર્જસીટ કરી દાખલ
સુરતની પેઢીનો પણ ચાર્જસીટમાં ઉલ્લેખ
વચેટિયા મહોમ્મદ રફીક મેમણ સામે પણ ચાર્જસીટ
સુરેદ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલો હાલ CBI તપાસમાં છે. ગત સોમવારે CBIએ વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂઆત કરી હતી. પણ કોર્ટે રિમાન્ડ ના મંજૂર કર્યા હતા.
CBIએ ચાર્જસીટ દાખલ કરી કેસ વધુ મજબૂત કર્યો
ઘણા સમયથી CBIની રડારમાં રહેલા કે. રાજેશ પર હવે ચાર્જસીટ દાખલ કરવામા આવી છે. આ ચાર્જસીટમાં સુરત સ્થિતિ પેઢીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સાથે કે. રાજેશના વચેટિયા તરીકે કામ કરતાં મહોમ્મદ રફીક મેમણ સામે પણ CBIએ ચાર્જસીટ દાખલ કરી છે. IAS અધિકારી કે. રાજેશને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ સુધી થયેલી તપાસની CBIએ ચાર્જસીટ દાખલ કરતાં હવે કે રાજેશ કેસમાં CBI કોર્ટમાં મજબૂતાઈથી પક્ષ રાખશે જેથી ગાળિયો વધુ કસાશે.
18 મેના રોજ દાખલ થઈ હતી FIR
CBI દ્વારા કે.રાજેશ વિરુદ્ધ 18 મેના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ 20 મેના રોજ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 13 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો આક્ષેપ છે. જેથી કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ત્યારે આપેલા હથિયાર લાયસન્સ પણ રદ થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
CBIએ ચાર્જસીટમાં શું ઉલ્લેખ કર્યો?
ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશ (IAS અધિકારી -2011 બેચ) તથા સુરત સ્થિત ખાનગી પેઢીના માલિક વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.સીબીઆઈએસુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશ હથિયારનું લાયસન્સ આપવા માટે માગવામાં આવેલ લાંચ મામલે પણ ફરિયાદ નોંધી છે. તો સુરત સ્થિત ખાનગી પેઢીના માલિક મહોમ્મદ રફીક મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ સરકારી જમીનની ફાળવણીમાં પણ થયેલી ગોલમાલ અંગેની પણ તપાસ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી તજવીજ હાથ ધરવામાં આવેલ છે.જણાવી દઈએ કે, સમગ્ર મામલે ગાંધીનગર અને સુરત અને આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં તપાસ હાથ ધરાતા મોટી સંખ્યામાં ગુનાહિત દસ્તાવેજ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા અને અંતે બંન્ને આરોપીઓની ધકપકડ કરવામાં આવી હતી.
સસ્પેન્ડેડ IAS ઓફિસર કે રાજેશ કોણ છે ?
સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારી છે. કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા હતા.