મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા CBI અને EDના ડિરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી લંબાવી દીધો છે.
મોદી સરકારનો મોટો નિર્ણય
CBI અને EDના ડિરેક્ટરને આપ્યું એક્સટેન્શન
પાંચ વર્ષ કાર્યકાળ લંબાવ્યો
હાલમાં 2 વર્ષનો હતો કાર્યકાળ
કેન્દ્ર સરકાર ઈ.ડી.અને સીબીઆઈના ડિરેક્ટરોના કાર્યકાળને 5 વર્ષ વધારવા માટે વટહુકમ લઈ આવી છે. કેન્દ્ર દ્વારા જારી વટહુકમ બાદ CBI વડા સુબોધ જયસ્વાલ અને EDના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 5 વર્ષ લંબાવી દેવાયો છે.
ફક્ત અસાધારણ સંજોગોમાં જ કેન્દ્રના અધિકારીને એક્સટેન્શન આપવું જોઈએ તેવા સુપ્રીમના ચુકાદા બાદ કેન્દ્રનો વટહુકમ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હાલના ઇ.ડી. ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ ન વધારવા પણ જણાવ્યું હતું. સંજય કુમાર મિશ્રાને એક્સટેન્શન મળી ચૂક્યું છે, તે એક અઠવાડિયામાં સમાપ્ત થઈ રહ્યું છે.
The Government of India brings Ordinance to extend the tenure of Enforcement Directorate (ED) and Central Bureau of Investigation (CBI) Directors up to 5 years. pic.twitter.com/r6NZ8cLyJS
જોકે નવો વટહુકમ આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ફેરફાર કરીને મિશ્રાને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એનજીઓ કોમન કોઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેમાં 13 નવેમ્બર, 2020ના રોજ મિશ્રાની 19 નવેમ્બર, 2018થી શરૂ થતી બે વર્ષની મુદતને ત્રણ વર્ષ સુધી લંબાવવાના સરકારના ચુકાદાને પડકાર્યો હતો.
1+1+1 ત્રણ વર્ષનું મળશે એક્સટેન્શન
નવા વટહુકમ અનુસાર, પ્રથમ 2 વર્ષ માટે સીબીઆઈ અને ઇડી ચીફની નિમણૂક કરવામાં આવશે. આ પછી ત્રણ વર્ષ (1+1+1)નું વિસ્તરણ કરવામાં આવશે. દરેક એક વર્ષ માટે ત્રણ એક્સટેન્શન આપી શકાય છે. પરંતુ તે કુલ 5 વર્ષથી વધુ ન હોવું જોઈએ.