દિલ્હી: દેશની પ્રિતિષ્ઠિત CBIમાં ઉચ્ચ પદો પર ફેરબદલ વચ્ચે CBI તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે આલોક વર્મા CBIના ડાયરેક્ટર અને રાકેશ અસ્થાના સ્પેશ્યિલ ડાયરેક્ટરના પદ પર જ રહેશે. જ્યારે નાગેશ્વર રાવને ડાયરેક્ટર બનાવવા પણ અટકળો ચાલી રહી છે.
ત્યારે આલોક વર્માએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેઓએ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જે અંતર્ગત આજે સુપ્રીમ કોર્ટમાં આલોક વર્માની અરજી પર સુનવાણી હાથ ધરાશે.
આ મામલે સિનિયર એડવોકેટ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહનું માનવું છે કે વર્માની અરજીમાં વધુ દમ નથી દેખાતો. કારણકે તેમને સરકારે રજા પર મોકલી દીધા છે. ત્યારે આ વચ્ચે અનેક વિવાદ વકર્યો છે.
સુનાવણી પહેલા CBIએ કર્યો ખુલાસો પદ પર યથાવત રહેશે વર્મા અને અસ્થાના
ઉલ્લેખનીય છે કે CBI એ સ્પષ્ટતા કરી હતી કે એજન્સીના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાને હટાવવામાં આવ્યા નથી. બંન્ને પોતાના પદ પર યથાવત રહેશે. જ્યાં સુધી કેન્દ્રીય ઓયોગ મામલે તપાસ કરી રહી છે ત્યાં સુધી એમ. નાગેશ્વર CBI નિર્દેશકનો કાર્યભાર સંભાળશે.