CBIએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું કે પૂર્વ નાણામંત્રી તથા તેના અન્ય બે અધિકારીઓની વિરુદ્ધ 63 મૂન્સ ટેક્નોલોજીજ કંપનીના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા મળ્યા નથી.
પદનો દુર ઉપયોગ કરી કંપનીને નુકસાન પહોંચ્યાડ્યું હતુ
વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર દાખલ કર્યો
જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ એનજે જામદારની ખંડપીઠ જિગ્નેશ શાહની કંપની 63 મૂન્સ (જુનું નામ ફાઈનેન્શિયલ ટેક્નોલોજીજ)ની અરજી પર સુનવણી કરવામાં આવી રહી છે.
પીઠની સામે CBIના વકીલ હિતેન વેનગાવકરે એજન્સી તરફથી એક શપથપત્ર દાખલ કર્યો. જેમાં કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના ચીફ વિજિલન્સ ઓફિસરને મોકલી દેવામાં આવી છે.
63 મૂન્સના વકીલે આ મામલાને હાઈ પ્રોફાઈલ ષડયંત્ર ગણાવતા તપાસ કરાવવાની અપીલ કરી છે. કોર્ટેએ આ મામલામાં 3 મહિના બાદની તારીખ નક્કી કરી છે. કંપની તરફથી 15 ફેબ્રુઆરી 2019ના રોજ સીબીઆઈની પાસે ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સ્પોર્ટ એક્સચેન્જ લિ. (એનસઈએલ)નુ અરબોનું પેમેન્ટ ડિર્ફોલ્ટ ઘોટાડો સામે આવ્યા પર ચિદમ્બરમ અને અન્ય 2 અધિકારીઓએ પોતાના પદનો દુર ઉપયોગ કરી કંપનીને નુકસાન પહોંચ્યાડ્યું હતુ.