મુલાયમ સિંહ યાદવના પરિવારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે અખિલેશ યાદવ વિરુદ્ધ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે મુલાયમ સિંહ યાદવના પરિવારને મોટી રાહત આપી
અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોર્ટે વધુ સુનાવણી કરવાની કરી મનાઈ
સીબીઆઈના ક્લોઝર રિપોર્ટની નકલ માંગતી અરજીને પણ ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના પરિવારને મોટી રાહત આપી છે. હવે સુપ્રીમ કોર્ટે અખિલેશ યાદવ અને પ્રતીક યાદવની અપ્રમાણસર સંપત્તિ કેસમાં વધુ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.સુપ્રિમ કોર્ટે સોમવારે નેતાજીના પરિવારને મોટી રાહત આપી છે. કોર્ટે સોમવારે મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને પ્રતીક યાદવની અપ્રમાણસર સંપત્તિ કેસની સુનાવણી કરી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોર્ટે વધુ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સીબીઆઈ પાસેથી વધુ રિપોર્ટ માંગવાની જરૂર નથી
કોર્ટે કહ્યું કે 2013માં સીબીઆઈએ પ્રાથમિક તપાસ બાદ કેસ બંધ કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે હવે સીબીઆઈ પાસેથી વધુ રિપોર્ટ માંગવાની જરૂર નથી. આ સંદર્ભે કોર્ટે સોમવારે અરજદાર વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં વિશ્વનાથ ચતુર્વેદીએ અરજી દાખલ કરીને કોર્ટને જણાવ્યું કે સીબીઆઈએ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. જ્યારે માર્ચ 2007માં કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો.
અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ
હવે અખિલેશ યાદવ અને અન્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈના ક્લોઝર રિપોર્ટની નકલ માંગતી અરજીને પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે અરજી પર સુનાવણી કરવાનો કોઈ આધાર નથી. તપાસ બંધ થયાના છ વર્ષ પછી દાખલ કરાયેલી અરજીની સુનાવણી માટે કોઈ વ્યાજબી નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી લાલુ યાદવ પરિવાર વિરુદ્ધ CBI અને EDની તપાસ વધી છે. જે બાદ વિરોધ પક્ષોએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે.