અપ્રમાણસર સંપત્તિ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની સજા પર ચૂકાદો આપ્યો છે.
ઓમપ્રકાશ ચૌટાલાને સજા
4 વર્ષની સજાનું એલાન
આવક કરતા વધુ સંપતિના કેસમાં કોર્ટે ફટકારી સજા
દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટે શુક્રવારે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. એટલું જ નહીં, કોર્ટે ચૌટાલાની ચાર મિલકતો જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. જણાવી દઈએ કે ગુરુવારે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Disproportionate assets case: Special CBI Court in Delhi sentences former Haryana CM OP Chautala to four years imprisonment, imposes a fine of Rs 50 lakhs
The Court also ordered to confiscate his four properties.
ઉલ્લેખનીય છે, વિશેષ ન્યાયાધીશ વિકાસ ધૂલેએ વર્ષ 1993 થી 2006 દરમિયાન અપ્રમાણસર સંપત્તિ બદલ દોષી ઠેરવવામાં આવેલા ઓપી ચૌટાલા અને CBI વકીલોની સજા પર દલીલો સાંભળી હતી. ચર્ચા દરમિયાન, ઓપી ચૌટાલાએ વૃદ્ધાવસ્થા અને તબીબી આધાર પર ઓછામાં ઓછી સજાની વિનંતી કરી હતી.
પૂર્વ CM ચૌટાલાની સામે શું છે કેસ ?
2019માં ચૌટાલાની 3.68 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી
સંપત્તિઓમાં ઓમપ્રકાશ ચૌટાલાનો ફ્લેટ, પ્લોટ અને જમીન સામેલ
જપ્ત કરાયેલી સંપત્તિ નવી દિલ્હી, પંચકુલા અને સિરસામાં આવેલી છે
અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલી FIR સંદર્ભે કાર્યવાહી
ચૌટાલાને જાન્યુ. 2013માં JBT કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા
2000થી વધુ જુનિયર શિક્ષકોની ગેરકાયદે ભરતી કર્યાના આરોપમાં સજા થઈ હતી
2000ના વર્ષમાં ચૌટાલાને 10 વર્ષની સજા થઈ હતી
ચૌટાલાના પૂત્ર અજય ચૌટાલા પણ આ કેસમાં હતો આરોપી
2 જુલાઈ 2010ના રોજ સજા પૂર્ણ થતા તિહાલ જેલમાંથી ચૌટાલા મુક્ત થયા હતા
2019માં EDએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં 1 કરોડ 94 લાખની સંપત્તિ જપ્ત કરી હતી
ચૌટાલાની જમીન અને એક ફાર્મ હાઉસ ED દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કર્યા હતા
EDએ અગાઉ ઓમ પ્રકાશ ચૌટાલાની 4.15 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી
અત્યાર સુધીમાં કુલ 6 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી
પૂર્વ મુખ્યમંત્રી ચૌટાલાની સામે શું છે કેસ
2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની 3.68 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. આ સંપત્તિઓમાં ઓમપ્રકાશ ચૌટાલાનો ફ્લેટ, પ્લોટ અને જમીન સામેલ છે. જપ્ત કરાયેલી સંપત્તિ નવી દિલ્હી, પંચકુલા અને સિરસામાં આવેલી છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને જાન્યુઆરી 2013 માં જેબીટી કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કાવતરામાં ભ્રષ્ટાચાર નિવારણમાં દોષિત ઠરવા બદલ ઈન્લ્ડ સુપ્રીમોને સાત વર્ષની જેલની સજા અને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
2000ની સાલમાં ચૌટાલાને 10 વર્ષની સજા થઈ હતી
ઉલ્લેખનીય છે કે હરિયાણાના ચર્ચિત જેબીટી કૌભાંડમાં ઓમ પ્રકાશ ચૌટાલા, તેમના પુત્ર અજય ચૌટાલા અને બીજા આરોપીઓને 2000માં ત્રણ હજારથી વધારે જુનિયર બેસિક શિક્ષકોની ગેરકાનૂની ભરતી કરવાના કેસમાં સજા કરાઈ હતી. આ કેસમા ચૌટાલાને 10 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જોકે આ કેસમાં તેમની સજા પૂરી થઈ હતી જે પછી 2010 ની 2 જુલાઈએ તેમને દિલ્હીની તિહાડ જેલમાંથી છોડી મૂકાયા હતા.
મારી સામેના આરોપ રાજનીતિથી પ્રેરિત- ચૌટાલા
ઉલ્લેખનીય છે ચૌટાલા પરિવાર તેમની સામેના આરોપને રદિયો આપ્યો છે અને તેમની સામેના આરોપ રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. કોર્ટના તાજેતરના ચુકાદાથી હરિયાણાના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. હવે બધાની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી છે. કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે રાજ્યમાં ફરી એકવાર રાજકારણમાં હલચલ મચી જશે.
કેસની ટાઈમલાઈન
સીબીઆઇએ 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
1993થી 2006 વચ્ચે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરવાનો આરોપ લાગ્યો હતો જે તેમની આવકથી વધુ આવક હતી.