બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલે 19 વર્ષ બાદ સોમવારે પંચકૂલાની ખાસ CBI અદાલતે ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 આરોપીઓને ઉમરકેદની સજા સંભળાવી છે.
ડેરા સચ્ચા સૌદાના રણજિત સિંહની હત્યાનો મામલો
સંત રામ રહીમને આજીવન કેદની સજા
2018માં રણજીત સિંહની હત્યા કરાઇ હતી
સાથે જ અદાલતે રામ રહિમને 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તો અન્ય 4 દોષિઓને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આ ચૂકાદા મામલે રામ રહીમ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે.
Ranjit Singh murder case | Special CBI court in Panchkula awards life imprisonment to all the accused, including Dera Sacha Sauda's Gurmeet Ram Rahim and four others. A fine of Rs 31 Lakhs levied on Ram Rahim and Rs 50,000 on the remaining accused. pic.twitter.com/WUQMA30sG6
આ દરમિયાન પંચકૂલામાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે તો કોર્ટ પરિસરમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કોઈપણ તીક્ષ્ણ હથિયાર પર પણ પાબંધી લાદવામાં આવી છે. 17 નાકા સહિત શહેરમાં 700 જવાન તૈનાત કરવામાં આવ્યા છે.
12 ઓક્ટોબરે જ થવાની હતી સજા
રણજીત સિંહ હત્યા કેસના મુખ્ય દોષી ડેરામુખી ગુરમીત રામ રહીમને સીબીઆઈ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચાર દોષિતો ક્રિષ્ન કુમાર, અવતાર, જસવીર અને સબદિલને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં સીબીઆઈ કોર્ટે 12 ઓક્ટોબરે જ સજા સંભળાવવાની હતી, પરંતુ દોષિત ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ વતી હિન્દી ભાષામાં આઠ પાનાની અરજી લખાઈ હતી, જે સજામાં દયાની અપીલ કરી હતી. તેમણે અરજીમાં પોતાની બીમારીઓ અને સામાજિક કાર્યનો ઉલ્લેખ કર્યો હતો.
આ કલમોમાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા
8 ઓક્ટોબરે રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ કુમારને IPC ની કલમ 302 (હત્યા), 120-B (ફોજદારી ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તે જ સમયે, અવતાર, જસવીર અને સબાદિલને કોર્ટે આઇપીસીની કલમ 302 (હત્યા), 120-બી (ગુનાહિત કાવતરું) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા છે.
શું છે સમગ્ર મામલો
રંજીત સિંહની 2002માં હત્યા થઈ હતી. મામલામાં સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટમાં સતત અનેક વાર સુનવણી ટળી. રણજીત સિંહ ડેરા મેંમ મેનેજર હતા. સીબીઆઈએ આરોપીની વિરુદ્ધ 2003માં કેસ નોંધાયો હતો અને 2007માં કોર્ટને ચાર્જ ફ્રેમ કર્યા હતા. નોંધનીય છે કે ગુરમીત રામ રહીમને સાધ્વિયોના યૌન શોષણના મામલામાં પહેલા જ 20 વર્ષની સજા થઈ ચૂકી છે અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તે ઉંમરકેદની સજા કાપી રહ્યો છે.