એરફોર્સ સ્ટેશનના સ્ટોરમાંથી દારૂ ચોરીના આરોપમાં ચાલી હતી તપાસ
જામનગર એરફોર્સના જવાનની પત્નીને 27 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. 27 વર્ષ અગાઉ એરફોર્સ જવાન ગિરજા રાવતની હત્યા કરવામાં આવી હતી. જે મુદ્દે CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. CBI કોર્ટે હત્યાના આરોપી ભારતીય વાયુસેનાના પૂર્વ સ્ક્વોડર્ન લીડર સહિત 3ને આજીવન કેદની સજા ફટકારી છે. મૃતક ગિરજા રાવત જામનગર એરફોર્સ સ્ટેનમાં રસોયા તરીકે કામ કરતા હતા. જેનું 14 નવેમ્બર 1995માં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે મૃત્યુ થયું હતું.
મૃતકને ત્યાં સ્ક્વોર્ડન લીડર અનુપ સુદ સહિતનાઓએ કર્યું હતું સર્ચ ઓપરેશન
આ ઘટના 1995 છે જ્યારે રસોયા ગિરજા રાવત ઉપર દારૂની બોટલ ચોરી અંગેનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે સબંધિત વિભાગના અધિકારીએ જામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ એરફોર્સના સતાવાળાઓએ આંતરિક તપાસના આદેશ પણ આપ્યા હતા. આ પ્રકરણની 22 ફેબ્રુ 2012માં CBIએ તપાસ શરૂ કરી હતી. કોર્ટે ચુકાદો આપતા અવલોકન કર્યું કે, એરફોર્સ સ્ટેશનના સ્ટોરમાંથી દારૂ ચોરીના આરોપમાં તપાસ કરવામાં આવી હતી. દારૂ ચોરીના આરોપમાં મૃતકને ત્યાં સ્ક્વોર્ડન લીડર અનુપ સુદ અને અન્યએ સર્ચ ઓપરેશન કર્યું હતું.
ભારતીય વાયુસેનાના પૂર્વ સ્ક્વોડર્ન લીડર સહિત 3ને આજીવન કેદ
દારૂ ચોરી મામલે સર્ચ ઓપરેસર્ચ હાથ ધર્યા બાદ મૃતકની દબાણ પૂર્વક ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. જેમાં ભારે ટોર્ચરને લઇ ગિરજા રાવતનું મૃત્યુ થયું હતુ. ગિરજા રાવતના મૃત્યુની જાણ પત્નીને 14 નવેમ્બર 1995ના રોજ કરવામાં આવી હતી. સંપૂર્ણ અવલોકન બાદ 2013ના રોજ CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. કેસના ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું છે. જેથી હાલ CBI ભારતીય વાયુ સેના નિવૃત્ત ગૃપ કેપ્ટન અનુપ સુદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે.એન. અને સાર્જન્ટ મહેન્દ્રસિંહ શેરાવત સહિત 3ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.