ઘાસચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ
ઘાસચારા કૌભાંડના સૌથી મોટા ડોરંડા ભંડોળમાંથી 139.35 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરીમાં બિહારના પૂર્વ સીએમ અને RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને કોર્ટે મોટી સજા સંભળાવી છે. જે અંતર્ગત લાલૂને પાંચ વર્ષની સજા અને 60 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
આ બાજૂ લાલૂ યાદવનું બ્લડ પ્રેશ રઅને શુગર લેવલ પણ વધી ગયું છે. તો વળી તેમની કિડનીની સ્થિતી પણ સારી નહીં હોવાનું કહેવાય છે. લાલૂ યાદવની કિડની હાલમાં 20 ટકા જ કામ કરે છે. કોર્ટમાં વીડિયો કોન્ફ્રેંસિંગ રૂમ બહાર આરજેડીના વરિષ્ઠ નેતાઓ પહોંચી ગયા છે.
Fifth fodder scam case | CBI court in Ranchi sentences RJD leader Lalu Prasad Yadav to 5 years' imprisonment and imposes Rs 60 Lakh fine on him. pic.twitter.com/413701Rt5W
લાલૂ પ્રસાદ યાદવની તબિયત હાલમાં સારી નથી. માનવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈ કોર્ટ આ વાત ધ્યાનમાં રાખીને કંઈક રાહત આપી શકે છે. જો કે, પાછલા કેસમાં જોઈએ તો, લાલૂ યાદવને સીબીઆઈ કોર્ટે રાહત આપી નહોતી.
139 કરોડની ઉઠાંતરીનો છે આ મામલો
ઘાંસચારા કૌભાંડનો આ મામલો ડોરંડા કોષાગાર સાથે જોડાયેલ છે. તેમાં 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉઠાંતરીની વાત સામે આવી હતી. ચારા કૌભાંડમાં સૌથી મોટી આરસી 47એ/96નો આ મામલો હકીકતમાં 1990થી 1995ની વચ્ચેનો છે. તેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટેમાં સુનાવણી ચાલી રહી હતી. રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ આ મામલામાં મુખ્ય આરોપી છે. પૂર્વેમાં પણ ચારા કૌભાંડમાં અલગ અલગ કેસોમાં લાલૂ યાદવ હાલમાં હાઈકોર્ટથી જામીન મળ્યા હતાં.
શું છે ડોરંડા કોષાગાર મામલો
ચારા કૌભાંડનો આ મામલો ડોરંડા ભંડોળ સાથે જોડાયેલ છે. તેમાં 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રીતે ઉઠાંતરીની વાત સામે આવી હતી. ઘાંસચારા કૌભાંડમાં સૌથી મોટી આરસી 47એ/69નો આ મામલો હકીકતમાં 1990થી 1995ની વચ્ચેનો છે, જેના પર સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પૂર્વમાં ચારા કૌભાંડમાં અલગ અલગ કેસમાં લાલૂ યાદવને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે.
આ કેસમાં કુલ 99 આરોપી
ડોરંડા ભંડોલ સાથે જોડાયેલ આ કેસની શરૂઆતમાં 170 આરોપી હતા. તેમાંથી 55 આરોપીઓના મોત થઈ ચુક્યા છે. બાદમાં દીપેશ ચાંડક અને આરકે દાસ સહિત સાત આરોપીઓને સીબીઆઈને સાક્ષી આપી હતી. તો વળી સુશીલ ઝા અને પીકે જયસ્વાલે કોર્ટના નિર્ણય પહેલા જ પોતાની જાતને દોષિત માની લીધા હતા.
આ મામલામાં પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડો. આરકે રાણા, પીએસીના તત્કાલિન અધ્યક્ષ ધ્રુવ ભગત, તત્કાલિન પશુપાલન સચિવ બેક જૂલિયસ, પશુપાલન વિભાગના સહાયક નિર્દેશક ડો. એમ પ્રસાદ સહિત 99 આરોપી છે.