સેન્ટર બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઇએ આજે મંગળવારે 19 રાજ્યોના 110 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા ભ્રષ્ટાચાર, હથિયારોની દાણચોરી સહિત 30 અલગ-અલગ મામલાઓમાં કરવામાં આવી રહી છે. સૂત્રોએ બતાવ્યું છે કે, મંગળવારના દરોડામાં ભ્રષ્ટાચાર, ગેરકાનૂની કાર્ય અને હથિયારોની દાણચોરી સાથે જોડાયેલા 30 અલગ-અલગ નવા મામલા નોંધવામાં આવ્યા છે.
2 જુલાઇએ આવી જ એક કાર્યવાહી કરવામાં આવી જેમા 12 રાજ્યોના 50 અલગ-અલગ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી 16 નવા બેન્ક છેતરપિંડી કેસ સાથે જોડાયેલ હતા. સીબીઆઇ મુજબ, દિલ્હી, મુંબઇ, લુધિયાણા, થાણે, વલસાડ, પૂણે, પલની, ગયા, ગુરુગ્રામ, ચંડીગઢ, ભોપાલ, સૂરત, કોલાર, અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા.
30 નવી એફઆઇઆર ઘણી કંપનીઓ, ફર્મ્સ, પ્રમોટર્સ ડાઇરેક્ટર, બેન્ક અધિકારીઓ અને કેટલાક ખાનગી લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ દરોડા મુંબઇ, દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે.
6 જૂને સીબીઆઇએ એક મોટી કાર્યવાહીમાં પૂર્વ આઇઆરએસ અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવ વિરુદ્ઘ છેતરપિંડી અને બનાવટનો મામલો નોંધવામાં આવ્યો હતો. શ્રી વાસ્તવ એ 12 આઇઆરએસ અધિકારીઓમાં સામેલ છે જેને ગત મહીને અનિવાર્ય રૂપે સેવાનિવૃતિ આપવામાં આવી હતી.
શ્રી વાસ્તવ પર નોએડામાં આવકર કમિશ્નર રહ્યા દરમિયાન છેતરપિંડી અને બનાવચનો આરોપ છે. તપાસ એજન્સી અનુસાર ટેક્સ અપીલ 1 અને અપીલ 2 દરમિયાન લગભગ 104 આઇટી અપીલ પર નિર્ણય કરાયો.
સીબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, ''એમને સંભવત પોતાના આદેશને જૂન 2019માં અપલોડ કર્યો અને તેને બેકડેટ કરતા ડિસેમ્બર 2018 બતાવ્યા. એમણે 104 આઇટી અપીલ અપલોડ કર્યા જેમાથી 13 એમના અધિકાર ક્ષેત્રમાં નહોતા.''