સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ દેશની મુખ્ય તપાસ એજન્સી CBIને શિખામણ આપતા તેમની કાર્યપ્રણાલી પર સવાલો કર્યા છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું મહત્વનું નિવેદન
સીબીઆઈની કાર્યશૈલી પર મોટા સવાલો કર્યા
પોલીસની કાર્યશૈલીને પણ લપેટામાં લીધી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમણાએ દેશની મુખ્ય તપાસ એજન્સી CBIને શિખામણ આપતા તેમની કાર્યપ્રણાલી પર સવાલો કર્યા છે. જસ્ટિસ રમણાએ શુક્રવારે એક સમારંભમાં કહ્યું કે, કેટલાય મહત્વના મામલાની તપાસમાં સીબીઆઈની શિથિલતા, નિષ્ક્રિયાત અને ઢીલાશના કારણે કાર્યવાહીથી તપાસ એજન્સીઓની વિશ્વનિયતા પર સાવલો ઉભા થઈ રહ્યા છે.
સીજેઆઈએ કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપને લઈને પોલીસની છબી ખરડાયેલી છે. મોટા ભાગે પોલીસ અધિકારીઓ અમારી પાસે આવે છે અને કહે છે કે, તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. રાજકીય પ્રતિનિધિઓ તો બદલાતા રહેશે, પણ આપ હંમેશા સેવા અને ડ્યૂટીમાં રહેશો.
સીજેઆઈના સીબીઆઈને વેધક સવાલ
વિજ્ઞાન ભવનમાં આયોજીત એક કાર્યક્રમમાં CJI રમણાએ ભાર આપીને કહ્યું કે, બ્રિટિશ શાસનથી અત્યાર સુધી ભારતમાં પોલીસ સિસિટ્મમાં ક્યારે અને કેટલો ફેરફાર થયો ? પણ સમયની સાથે સાથે સીબીઆઈ જેવી તપાસ એજન્સી લોકોની નજરે ચડી ગઈ.
સરકાર બદલાઈ જશે, આપ અહીંયા જ રહેવાના છો
પણ આપે યાદ રાખવું પડશે કે, જનપ્રતિનિધિઓ અને સરકારો સમયની સાથે બદલાતી રહેશે, જ્યારે આપ અહીં સ્થાયી છો. શાસક બદલાય છે, પણ પ્રશાસન અને વ્યવસ્થા સ્થાયી હોય છે. તેમના જણાવ્યા અનુસાર કોઈ પણ સંસ્થાનું નેતૃત્વના કારણે તે સારી અથવા ખરાબ હોઈ શકે છે. પણ અમુક મોટા અધિકારીઓ મોટા ફેરફાર લાવી શકે છે.
તપાસ એજન્સીઓ સ્વાયત અને સ્વતંત્ર બને
વ્યાખ્યાનમાં જસ્ટિસ રમણાએ ભાર આપતા કહ્યું કે, તુાસ એજન્સીને સ્વતંત્ર, સ્વાયત બનાવવું સમયની માગ છે. એક જ ગુનાની તપાસ માટે કેટલીય એજન્સીઓને જવાબદારી આપવાથી તપાસ ઉત્પીડનનું કારણ બની જાય છે. એક વાર અપરાધની નોંધાયા બાદ સૌથી મહત્વનું બિંદુ એ છે કે, એ નક્કી થવું જોઈએ કે, તપાસ માટે કઈ એજન્સી તેમાં તપાસ કરશે. પણ હાલમાં વર્ષોથી મોટા ભાગે જોવામાં આવ્યું છે કે, એકજ ગુનો અથવા કેસની તપાસ માટે કેટલીય એજન્સીઓ લગાવી દેવામાં આવે છે. આ આરોપીને ઉત્પીડનના હથિયાર તરીકે દોષિત ઠેરવવાથી બચાવશે.
પોલીસ પણ રાજકીય આકાઓને ખુશ કરવા ઝૂકી જાય છે
ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સત્તા આગલ જ્યારે આપ ઝૂકી જાવ છો, તો આપને વીરતા સાહસ અને કર્તવ્યનિષ્ઠા માટે ઓળખવામાં આવશે, કારણ કે, પોલીસિંગ ફક્ત નોકરી નહીં પણ એક કોલિંગ છે. સેવા છે અને સમાજ પ્રત્યેની જવાબદારી છે. ભારતમાં અંગ્રેજોએ કાયદા બનાવ્યા જ્યાં બ્રિટિશ હુકૂમત માટે પોલીસ બનાવામાં આવી હતી. તેને ભારતીય નાગરિકોના પ્રેશર અને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. હાલમાં પણ પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે પોલીસ ફોર્સનો દુરૂપયોગ કોઈ નવી વાત નથી. પોલીસને મોટા ભાગે કાયદાનું શાસન બનાવી રાખવા માટે કામ સોંપવામા આવે છે. અને ન્યાય સિસ્ટમનું અભિન્ન અંગ છે.