દેશની વિશ્વાસનીય સંસ્થા સી.બી.આઈ.ના લાંચકાંડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની અપીલ પર આજે સુ્પ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી ટાળી છે.
આ મુદ્દે વધુ સુનાવણી આગામી 29મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે. આ પહેલાં સોમવારે સીવીસીના રિપોર્ટ પર આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો. સીવીસી આ મામલે તપાસ કરી રહી છે. જેણે પોતાનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે.