સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશના ઘર અને ઓફિસ પર CBIના દરોડા બાદ આજે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ IAS અધિકારી ગીત ગાવાના શોખીન છે.
IAS અધિકારી છે ગીત ગાવાના શોખીન
IAS અધિકારી કે.રાજેશની CBIએ કરી ધરપકડ
જમીન કૌભાંડ અને આર્મ્ડ લાયસન્સ મામલે કેસ
ગુજરાતના IASને ગુજરાતનો કસુંબી રંગ લાગ્યો હતો. સુરેન્દ્રનગરના કલેક્ટર હતા તે સમયે કે.રાજેશ લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે ઝવેરચંદ મેઘાણીનું ગીત લલકારતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
તત્કાલિન સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કે. રાજેશ અનેક વખત ગુજરાતી ગીતો ગાતા નજરે પડી ચૂક્યા છે. 2 વર્ષ અગાઉ કલાકાર કિર્તીદાન ગઢવી સાથે એક શુભેચ્છા મુલાકાત દરમિયાન ચોટીલાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી રચીત કસુબીનો રંગ લોકગીત ગાયું હતું. આ અંગે પોતાનો અનુભવ પણ ટ્વિટરના માધ્યમથી સોશિયલ મીડીયામાં વર્ણવ્યો હતો. પરંતુ ગીત ગાવાના શોખિન IAS અધિકારી હાલ CBIની કસ્ટડીમાં છે. તેઓ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે CBIએ તેમને સકંજામાં લીધા છે.
Celebrating 2 years of wedding & 3 years of association with my loving wife @RubyNarwal2 on this day. Thank you @KirtidanGadhvi for unravelling the poetry in prose of this song & making me sing for my @RubyNarwal2 . In fact wife is ubiquitous 🙈😝😃. pic.twitter.com/nFBNrtdiFn
સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશની ઓફિસ અને ઘર પર CBIએ દરોડા પાડ્યા હતા. IAS અધિકારી કે. રાજેશની ઓફિસ-ઘરે દરોડા બાદ CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે.રાજેશ સહિત સુરતની ખાનગી પેઢીના માલિક અને અન્યો સામે કેસ કર્યો હતો. ત્યારે હવે કે રાજેશની ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે સુરતના શખ્સની પણ ધરપકડ કરાઈ. ત્યારે કે.રાજેશ સહિત ધરપકડ કરાયેલા આરોપીઓને અમદાવાદની CBI સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાશે.
CBIએ આ મામલે કર્યો કેસ
કેન્દ્રીય એજન્સીએ IAS અધિકારી સામે આર્મ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી તેમ જ સરકારી જમીનને નિયમિત કરવા માટે લાંચ માંગવાનો કેસ કર્યો છે.ગુજરાત સરકારની વિનંતી પર અગાઉ પ્રાથમિક તપાસ નોંધવામાં આવી હતી તેવું CBIએ જણાવ્યું હતું. ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશમાં CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.
આ કારણે IAS કે.રાજેશ કેન્દ્રીય એજન્સીની હતા રડારમાં
કે.રાજેશ સુરતમાં DDO હતા ત્યારે પણ હતા સતત વિવાદમાં
કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની થઇ હતી ફરિયાદ
કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી
કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી
SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ
કે.રાજેશ DDO હતા ત્યારે તેમની વિરુદ્ધ જે તે મુખ્યમંત્રીને થઇ હતી ફરિયાદ
કે.રાજેશ વિરુદ્ધની ફરિયાદોની તકેદારી આયોગ,વિકાસ કમિશનરે પણ તપાસ કરી હતી
કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ
હથિયારના લાયસન્સ આપવામાં નાણાની વસૂલાતના આરોપ
વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા