સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ ત્રણ IRS અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની ઉપર આક્ષેપ છે કે તેમણે કોરોના વાયરસ મહામારીને કાબૂમાં રાખવા માટે કેવા પગલા ભરવા જોઈએ એવા સૂચનો લખેલો એક દસ્તાવેજ જાહેર કરી દીધો હતો જે વાંચીને લોકોમાં અફરાતફરી અને તણાવનો માહોલ ઉભો થયો હતો. આ અહેવાલમાં અમીરો ઉપર ટેક્સ વધારીને સુપરરીચ ટેક્સ નાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
CBDTએ ત્રણ IRS અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમની સામે આક્ષેપ છે કે તેમણે તેમના સર્વિસ અને કન્ડક્ટ રૂલ્સનો ભંગ કરીને તેમના જુનિયર અધિકારીઓ પાસે એવા એવો રિપોર્ટ તૈયાર કરાવ્યો જેનાથી પોલિસીમાં ગૂંચવાડો અને લોકોમાં અકારણ ભયનો માહોલ ઉભો થયો. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ અહેવાલથી પહેલેથી જ નબળી પડી ગયેલી ઈકોનોમીમાં અવિશ્વાસ અને ભયનો માહોલ સર્જાયો હતો અને ટેક્સ પોલિસીમાં પણ ફેરફારની ભીતિ ઉભી થઇ હતી.
સરકારે આ અહેવાલને ખૂબ ગંભીરતાથી લીધો
"કોવિડ 19 મહામારીમાં સરકાર અપનાવી શકે તેવા નાણાકીય પોલિસીના વિકલ્પો" નામનો આ અહેવાલ CBDT ચેરમેન P C મોદી અને અન્ય સભ્યોને આપવામાં આવ્યો હતો. સરકારે આ અહેવાલને ખૂબ ગંભીરતાથી લીધો હતો અને કોણે આ અહેવાલ તૈયાર કરીને જાહેર કર્યો છે તે માટે કડક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ અહેવાલમાં એવા સૂચન કરવામાં આવ્યા હતા કે ટેક્સ ફાઈલિંગની પ્રક્રિયા એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવે અને અમીર વ્યક્તિઓ પાસે વધુ પ્રમાણમાં ટેક્સ ઉઘરાવવામાં આવે.
આ અધિકારીઓના સૂચનો ઉપર સરકાર વિચાર કરશે છે પરંતુ...
નોંધનીય છે જે આ અહેવાલમાં વેલ્થ ટેક્સ, વારસામાં મળેલી સંપત્તિ ઉપર ટેક્સ, અલગ અલગ ટેક્સમાં વધારો વગેરે જેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે CBDTએ કડક પગલા લીધા છે. સરકારે આ મુદ્દે કહ્યું હતું કે આ અધિકારીઓના સૂચનો ઉપર સરકાર વિચાર વિમર્શ કરવા તૈયાર છે. પણ તેઓએ આ રિપોર્ટને પબ્લિક ડોમેઈનમાં પ્રસારિત કરવાનો નહોતો.
શું ઉલ્લેખ હતો રિપોર્ટમાં?
આ સર્ક્યુલર પર 23 એપ્રિલની તારીખ હોવાનું પણ જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલા દસ્તાવેજમાં કોરોના મહામારી સંકટના નિવારણ માટે જરૂરિયાતને પૂરી કરવા માટે વસ્તુઓની ખરીદી માટે કેટલાંક સૂચન આપવામાં આવ્યાં છે, જેમાં એક સૂચન સુપરરિચ ટેક્સનું પણ છે, જેમાં જણાવાવમાં આવ્યું છે કે એક કરોડ રૂપિયાથી વધારે ઈન્કમ (આવક) ધરાવતી વ્યક્તિઓ પર 30 ટકાથી વધારી હવે 40 ટકા ટેક્સ લગાવવો જોઈએ. આ ઉપરાંત પાંચ કરોડથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકો પર સંપત્તિ કર કે વેલ્થ ટેક્સ લગાવવો જોઈએ.