જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો, તો ITR ફાઇલિંગને લઈને એક નવું અપડેટ સામે આવ્યુ છે જેમાં એક જવાર ITR અપડેટ કરવાની મંજૂરી આપી છે.
ઇન્કમ ટેક્સ ભરનાર માટે અગત્યની સૂચના
ITR મૂલ્યાંકન વર્ષમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાશે
સીબીડીટીના ચેરમેન જેબી મહાપાત્રાએ માહિતી આપી
જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરો છો, તો આ અગત્યની માહિતી ધ્યાનમાં રાખજો. હાલમાં ITR ફાઇલિંગને લઈને એક નવું અપડેટ સામે આવ્યુ છે. હવે કરદાતાને આકારણી વર્ષમાં માત્ર એક જ વાર તેનું ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ જેબી મહાપાત્રાએ બુધવારે આ માહિતી આપી હતી.
સીબીડીટી ચેરમેને માહિતી આપી
મળતી માહિતી મુજબ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મહાપાત્રાએ કહ્યું હતું કે આ જોગવાઈનો ઉદ્દેશ્ય એવા લોકોને તક આપવાનો છે જેઓ અત્યાર સુધીમાં કોઇ કારણોસર રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. તેમણે એમ પણ જણાવ્યુ કે આવા કરદાતા એક એસેસમેન્ટ યરમાં માત્ર એક જ વાર અપડેટ કરેલું રિટર્ન ફાઇલ કરી શકશે.
બે વર્ષમાં ITR અપડેટ કરવાની બજેટમાં પરમિશન
બજેટ 2022-23માં આવા ટેક્સપેયર્સ ITR ફાઇલ કરવાના બે વર્ષની અંદર તેને અપડેટ કરી શકે તેવી પરમિશન આપી દીધી છે. જેનાથી રિટર્ન ભરવામાં કોઇ ભૂલ થઇ હોય તો કોઇ માહિતી છૂટીગઇ હોય તો તેને અપડેટ કરી શકે છે. ટેક્સપેયર્સ ટેક્સની ચૂકવણી કરીને ITRને અપડેટ કરી શકશે. જો અપડેટેડ ITR 12 મહિનાની અંદર ફાઇલ કરવામાં આવે છે તો ટેક્સ અને વ્યાજ પર 25 ટકા એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે.
12 મહિના પછી અપડેટ કરવા માટે વધુ ચૂકવણી કરો
જો અપડેટેડ આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન અપડેટ ન્યૂઝ) 12 મહિના પછી ફાઈલ કરવામાં આવે છે, તો ટેક્સ અને વ્યાજ પરની ચુકવણી વધીને 50 ટકા થઈ જશે. પરંતુ તે સંબંધિત મૂલ્યાંકન વર્ષના 24 મહિનાની અંદર ફાઇલ કરવાનું રહેશે. જો કે, કોઈપણ આકારણી વર્ષ માટે, જો નોટિસ જારી કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય, તો કરદાતાને આ સુવિધાનો લાભ મળશે નહીં.