મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા 15 ઇન્કમ ટેક્સ અધિકારીઓને રિટાયર્ડ કર્યા છે. CBDTએ 15 સીનિયર અધિકારીઓને જબરદસ્તી રિટાયર્ડ કરવાન નિર્ણય લીધો છે. આ વર્ષે જૂન મહીનામાં પણ એવો જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હાઇ રેન્કવાળા ભારતીય મહેસૂલ સેવાનાં 27 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયર્ડ કરી દીધાં હતાં. જેમાં કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (CBDT)નાં 12 અધિકારીઓ શામેલ હતાં. જેઓનું ભ્રષ્ટાચાર મામલામાં નામ સામે આવ્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
15 ઓગસ્ટનાં પીએમ મોદીએ ટેક્સ અધિકારીઓ દ્વારા પરેશાની અંગે ચિંતા વ્યક્ત કરી હતી
આ વર્ષે જૂન મહીનામાં પણ એવો જ નિર્ણય લેવાયો હતો
આ અધિકારીઓ પર ભ્રષ્ટાચાર સહિતનાં અનેક મામલાઓ દાખલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ટેક્સ અધિકારીઓ વિરૂદ્ધ અનિયમિતતાનો આરોપ છે, તેમની વિરૂદ્ધ અમે કડક કાર્યવાહી કરી છે. આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ 15 ઓગસ્ટનાં રોજ લાલ કિલ્લાએથી આપેલા ભાષણમાં પણ ટેક્સ અધિકારીઓ દ્વારા પરેશાની કરવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
આ નિયમ અંતર્ગત કરાઇ કાર્યવાહીઃ સેન્ટ્રલ સિવિલ સર્વિસેઝ 1972નાં નિયમ 56 (j) અંતર્ગત 30 વર્ષુ સુધી સેવા પૂરી કરી ચૂક્યા અથવા 50 વર્ષની ઉંમર પર પહોંચી ચૂકેલા અધિકારીઓની સર્વિસ સરકાર સમાપ્ત કરી શકે છે.
Central Board of Direct Taxes: CBDT compulsorily retired yet another 15 very senior officers of rank of Prinicipal Commissioner of Income Tax (CIT), CIT, Junior CIT, Addl. CIT, Assistant CIT, today, due to corruption and other charges and CBI traps. pic.twitter.com/N8Ik3pVAND
કેન્દ્ર સરકાર એવાં અધિકારીઓ (Officers) ને નોટિસ અને ત્રણ મહીનાનું વેતન-ભથ્થું આપની ઘરે મોકલી શકે છે. એવાં અધિકારીઓનાં કામની દર ત્રીજા મહીને સમીક્ષા કરવામાં આવે છે અને જો તેની પર ભ્રષ્ટાચાર અથવા અક્ષમતા/અનિયમિતતાનાં આરોપ સામે આવે છે તો જબરદસ્તીથી રિટાયરમેન્ટ આપવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારની પાસે આ ઓપ્શન અનેક વર્ષોથી ઉપલબ્ધ છે પરંતુ વધારે સમય આની પર ગંભીરતાથી કાર્યવાહી ના કરી શકાય. આ નિયમમાં અત્યાર સુધી ગ્રુપ એ અને બીનાં અધિકારીઓ જ શામેલ હતાં, હવે ગ્રુપ સીનાં અધિકારીઓ પણ આમાં આવી ગયા છે.