ભારતમાં કોરોનોની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. દિલ્હી,મુંબઈ અને નોઈડામાં કોરોના કેસ વધવા લાગતા ચિંતા વધી છે.
ભારતમાં કોરોનાની ચોથી લહેરનો વધ્યો ખતરો
દિલ્હી,મુંબઈ અને નોઈડામાં વધવા લાગ્યા કોરોના કેસ
XE વેરિયન્ટથી સાવધાન રહેવાની ડોક્ટરોની ચેતવણી
વિશ્વના ઘણા દેશોની સાથે ભારતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય એજન્સીઓની ચિંતા વધી છે. છેલ્લા બે વર્ષથી સતત કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. સતત કેસ વધવાની સાથે ભારતમાં ચોથી લહેર આવવાની પણ શક્યતા છે. ગુરુવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1007 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,058 થઈ ગઈ છે.
ભારતમાં 80 દિવસ બાદ કોરોના કેસમાં થવા લાગ્યો વધારો
ભારતમાં 80 દિવસમાં પહેલીવાર કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24 કલાકની અંદર સક્રિય કેસોમાં વધારો નોંધાયો છે. જો કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક્સઈ વેરિએન્ટના 2 કેસ સામે આવ્યા બાદ છેલ્લા 2 દિવસમાં ભારતમાં એક્સઈ વેરિએન્ટના અન્ય કેસ સામે આવ્યા નથી.બુધવારે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ -19 ના વધતા જતા કેસો અને નવા વેરિઅન્ટ એક્સઇ માટે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જે દરમિયાન તેમણે નવા કેસો પર નજર રાખવાની સલાહ આપી હતી. મંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાને લગતી ગાઈડ લાઈનનું પાલન કરી સાવચેતી રાખવાની સલાહ આપી હતી કારણ કે રોગચાળો હજુ પૂરો થયો નથી.
દિલ્હી-મુંબઈમાં વધવા લાગ્યા છે કોરોના કેસ
દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં કોવિડ-19ના કેસ ધીરે-ધીરે વધવા લાગ્યા છે. બુધવારે દિલ્હીમાં 299 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 2.49 ટકા થઈ ગયો છે. છેલ્લા બે દિવસમાં શહેરમાં નવા 501 કેસ નોંધાયા છે અને હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 814 થઈ ગઈ છે. જોકે, દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. હોસ્પિટલમાં માત્ર 43 દર્દીઓ જ દાખલ છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે દિલ્હીની શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદ બાકીના વિદ્યાર્થીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.દિલ્હીના પાડોશી નોઈડા અને ગુરુગ્રામમાં પણ કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ગુરૂગ્રામમાં લગભગ 40 દિવસ બાદ કોરોનાના 128 નવા કેસ સામે આવ્યા હતા, જેના કારણે ત્યાં એક્ટિવ કેસની સંખ્યા 325 થઈ ગઈ છે.
શું કહે છે નિષ્ણાતો
હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખારના ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડો.ભારેશ દેઢિયાના જણાવ્યા અનુસાર, કોઈ પણ વ્યક્તિ મેડિકલી રીતે એક્સઈ હાઈબ્રિડ સ્ટ્રેન અને બાકીના વેરિઅન્ટ વચ્ચે તફાવત કરી શકે નહીં. નવો સબ-વેરિઅન્ટ XE ઓમિક્રોનના તમામ લક્ષણો જેવો જ છે. તે સામાન્ય રીતે હળવા હોય છે અને ખૂબ ગંભીર પણ નથી. દિલ્હીની આઇબીએસ હોસ્પિટલના સિનિયર ન્યુરોસર્જન અને મેનેજિંગ ડિરેક્ટર ડો.સચિન કંધારીના જણાવ્યા અનુસાર, નવા વેરિએન્ટ વિશે હજી વધારે જાણકારી મળી નથી. તે ઓમિક્રોન કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ ડેલ્ટા જેટલું તીવ્ર નહીં હોય. જો કે, કોવિડના કેસોમાં ઉછાળો ન આવે તે માટે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.ડો.સચિને વધુમાં જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક અઠવાડિયામાં, એક્સઇ વેરિઅન્ટના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, પરંતુ હજી પણ તેના વિશેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. હમણાં જ આવેલા કોવિડના કેસોની ગંભીરતા પરથી અનુમાન લગાવી શકાય છે કે તે ડેલ્ટા જેટલું ખતરનાક નથી લાગતું. જો કે, તેની ટ્રાન્સમિસિબિલિટી ઓમિક્રોન કરતા વધારે હોઈ શકે છે.
XE વેરિઅન્ટના લક્ષણો
XE વેરિઅન્ટના અત્યાર સુધીમાં નિષ્ણાતોએ જે લક્ષણો દર્શાવ્યા છે તે આ મુજબ છે: