મોત બનીને માર્ગ પર આડેધડ રખડતાં ઢોરે અમદાવાદમાં વધુ એક યુવાનનો ભોગ લેતા શહેરભરમાં નઘરોળ તંત્ર સામે લોકોમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે.
અમદાવાદમાં રખડતા પશુને કારણે દુર્ઘટના
હાસોલમાં રખડતા ઢોરને કારણે થયો હતો અકસ્માત
ઢોર સાથે ટકરાયા બાદ પાછળથી આવેલ ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
અમદાવાદના હાસોલ વિસ્તારમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લેતા ચકચાર મચી ગઇ છે. હાસોલમાં રસ્તા વચ્ચોવચ્ચ ઉભેલા પશુ સાથે બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં પશુ સાથે ટક્કર બાદ બાઇકચાલક જમીન પર પટકાયો હતો. આ દરમિયાન એકાએક કાળ બનીને આવેલા ટ્રકે બાઇકચાલકને અડફેટે લઇ ચગદી નાખતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જેને પગલ શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં રખડતા પશુને કારણે સર્જાયેલી દૂર્ઘટના CCTVમાં કેદ થઇ હતી.
આ કરુણ ઘટનાને લઈને મૃતક યુવકના પરિવારને મળવા VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી. નોંધનીય છે કે, તહેવારોના દિવસોમાં યુવાનનું મોત નિપજતા પરીવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુવકના પિતાએ પણ અકસ્માત માંજ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ હવે રખડતાં ઢોરને લીધે સર્જાયેલ અકસ્માતમાં યુવાન પણ કાળનો કોળીયો બની જતાં પરીવારમાં માતમ છવાયો છે અને રખડતા પશુઓનું નિરાકણ લાવવા માટે મૃતકના પરિવારનોએ માંગ ઉઠાવી છે.
લુણાવાડા-ગોધરા માર્ગ પર અકસ્માતમાં બાઈક સવારનું મૃત્યુ
અકસ્માતની વધુ એક ઘટના મહીસાગરના લુણાવાડા-ગોધરા માર્ગ પર બન હતી. જેમાં ભાયાસર ગામના પીક અપ સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. ST બસ અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વડોદરાથી સંતરામપુર જતી બસે બાઇકને અડફેટે લેતા બાઇકસવારને કાળ ભેટી ગયો હતો. આ દુર્ગટનાને લઈને ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
સળગતા સવાલો
કેમ ઢોર માલિકોને નથી કાયદાનો ડર?
તંત્રના પાપે ક્યાં સુધી સામાન્ય નાગરિક બનશે ભોગ?
અનેક લોકોના ભોગ બાદ પણ કેમ નઘરોળ તંત્ર નિંદ્રામાં?
રસ્તા પર રખડતા ઢોરને લઇને તંત્ર કેમ એકશન નથી લેતું?
હજુ કેટલા નિર્દોષોનો રખડતા ઢોર જીવ લેશે?
આ મૃતકના પરિવારને તંત્ર કોઇ વળતર આપશે?
હજુ કેટલા નિર્દોષ ભોગ બનશે પછી જાગશે તંત્ર?
શું આ રખડતા ઢોરના માલિક સામે કોઇ ગુનો દાખલ થયો છે?
વાહનચાલકોને જાહેર માર્ગો પર રખડતા ઢોરથી કોણ સુરક્ષા આપશે?