ઉંદરોએ પોલીસ સ્ટેશનમાં કર્મીઓના નાકે દમ લાવી દીધો હતો.એટલું જ નહીં, ઉંદરોઓએ મહત્વની ફાઈલો પર પણ કોતરીને નુક્સાન કરવા લાગ્યા હતાં.
કર્ણાટકમાં પોલીસ સ્ટેશનમાં બિલાડી
ઉંદરોના ત્રાસથી બચવા લવાઇ બિલાડી
બિલાડી બાદ ઉંદરોનો ત્રાસ ઘટ્યો
કોઈ માણસ રસ્તે રખડતા કૂતરાથી પરેશાન હોય, કોઈ મચ્છરથી પરેશાન તો કોઈ ગરોળી અને વંદાથી પરેશાન હોય છે. પણ પોલીસ ક્યારેય કોઈ ઉંદરના ત્રાસથી પરેશાન હોય એવું સાંભળ્યું છે ખરા?આ ઘટના બની છે કર્ણાટક રાજ્યના ચિક્કાબલ્લાપુરમાં જ્યાં પોલીસ સ્ટેશનમાં ઉંદરનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, ઉંદર મહત્ત્વના ડૉક્યુમેન્ટને ચાવી ગયા હતા. જેના કારણે પોલીસ પરેશાન થઈ હતી. પણ હવે પોલીસે એવો રસ્તો શોધ્યો કે એની જિલ્લાભરમાં ચર્ચા થઈ રહી છે.
ઉંદરોથી કંટાળેલી પોલીસે સ્ટેશનમાં બિલાડી ઉછેરવાનો વિચાર કર્યો
ઉંદરોથી કંટાળેલી ચિક્કાબલ્લાપુર જિલ્લાની ગૌરીબિદનૂર પોલીસે બિલાડીઓને ઉછેરવાનો વિચાર કર્યો છે. ઉંદરો પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજોનો નાશ કરી રહ્યા છે. તેથી પોલીસ બિલાડીઓને ઉછેરવાનું શરૂ કરી દીધુ છે. કર્ણાટકના એક પોલીસ સ્ટેશનમાં ઉંદરની સમસ્યાને દૂર કરવા માટે હવે બે બિલાડીઓ પાળવામાં આવી છે.
પોલીસ સ્ટેશનમાં બિલાડીઓને પોલીસ સ્ટેશનમાં લાવે એવી વધુ શક્યતા છે.
પોલીસ સ્ટેશન જેવી સરકારી કચેરીમાં બિલાડી હોય તે ખૂબ જ દુર્લભ છે. જોકે, પોલીસ સત્તાવાળાઓએ ઉંદરોથી બચવા માટે બિલાડીઓને પાળવી પડી હતી. અગાઉ ઉંદરોના ત્રાસને કારણે મહત્વપૂર્ણ રેકોર્ડ ખવાઈ ગયા હતા. જેથી પોલીસને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેથી તાજેતરમાં બિલાડીને સ્ટેશન પર લાવવામાં આવી છે.