સુરતમાં ફરી એક વખત ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી છે. શહેરના વી.આર.મોલ સામેની રેસ્ટોરન્ટ મુસ્તાક અમદાવાદી તવાફ્રાયના ભોજનમાંથી ઈયળ નિકળી છે. અહીં ગ્રાહકે વેજ ફ્રાઈ રાઈસની આઈટમ મંગાવી હતી. જેમાં ઈયળ નિકળી હતી. જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, મેનેજરે નિરાકણ કરવાને બદલે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહકે SMC અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ હાથધરી છે. રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 19, 2022
VTV ગુજરાતીના સળગતા સવાલ
જીવાતવાળું ભોજન કેટલું યોગ્ય?
ભોજન આરોગનારાને કંઇ થશે તો જવાબદાર કોણ?
જીવાતવાળું ભોજન આપનારા સામે કાર્યવાહી ક્યારે?
રેસ્ટોરન્ટ માલિક સામે કાર્યવાહી ક્યારે?
શું ફૂડ ઇન્સ્પેક્ટર કાર્યવાહી કરતાં ડરે છે?
બિન આરોગ્યપ્રદ આહાર છતાં કેમ ધમધમે છે રેસ્ટોરન્ટ?
રેસ્ટોરન્ટ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થશે ?
રેસ્ટોરન્ટના નામ મોટા પણ વાનગીમાં કેમ જીવાત?
SMCનું ફૂડ વિભાગ ક્યારે કાર્યવાહી કરશે?
અવાર નવાર પ્રખ્યાત ફૂડ સ્ટોર માંથી જીવાત નીકળતા કોર્પોરેશનના ફૂડ વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લોકો નામચીન રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે.આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ સૂરત તંત્રનું ફૂડ વિભાગ નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. એમાંય જો કોઈ રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવે તો તેના રિપોર્ટમાં પણ ઘણો સમય કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં રહે છે પણ કોઈ ઠોસ કાર્યવાહીનો દાખલો બેસાડવામાં તંત્ર ઊણું ઉતરે છે.
અમદાવાદમાં ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેઈલ જતા 5 એકમો કર્યા સીલ
અમદાવાદ શહેરમાં ખાણીપીણીના એકમો પર ફુડ વિભાગની તપાસ કરતાં 5 એકમોના સેમ્પલ ફેઇલ આવ્યા છે. જેનો સીધો મતલબ એ થાય છે કે અત્યાર સુધી આ 5 એકમો લોકોના સ્વાસ્થ્યને હાનીકારક હોય તેવા ખાદ્ય પદાર્થની વેચાણ કરતાં હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ એક્ટિવ થઇ ગયું છે. અમદાવાદમાં ફૂડ વિભાગે ફુલ 58 એકમો પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અલગ અલગ 31 સેમ્પલો લેવાયા જેમાં 5 સેમ્પલ અનફીટ સાબિત હતા. જે બાદ કાર્યવાહી કરતા 5 એકમોને સેમ્પલ ફેઈલના મામલે સીલ કર્યા હતા. તેમજ 12 એકમોને નોટિસ પાઠવી વ્યવસ્થા સુચારું કરવા આદેશ કર્યો હતો.શાહિબાગની શક્તિ સેન્ડવીચ, ગોપી રેસ્ટોરન્ટ બંધ કરાઈ, પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, હની બ્રેકફાસ્ટ અને ઢોસા સેન્ટર સીલ કરવામાં આવ્યા છે.