ટીમ ઇન્ડિયાએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. 5માંથી 4 મેચ જીતી અને બાકીની એક મેચ રદ્દ થઇ જવાને કારણે હાલમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પૉઇન્ટ ટેબલ પર 9 પૉઇન્ટના સાથે ત્રીજા સ્થાને છે.
વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની સફળતાનો શ્રેય બેટિંગ અને બૉલિંગ સિવાય શાનદાર ફિલ્ડિંગને પણ મળે છે. આંકડાને ધ્યાનમાં રાખવામાં આવે તો આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા શાનદાર ફિલ્ડિંગ કરી છે. આજ કારણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિરાટ કોહલી એન્ડ કંપનીએ માત્ર 1 કેચ છોડ્યો છે, જ્યારે પાકિસ્તાનની ટીમ આ મામલામાં નંબર 1 છે.
જી હા, વર્લ્ડ કપ 2019માં સૌથી વધારે કેચ છોડવાના મામલામાં પાકિસ્તાનની ટીમ ટોપ પર છે. પાકિસ્તાનની ટીમે 26માંથી 14 કેચ છોડ્યા છે, જે દર્શાવે છે પાકિસ્તાન ફિલ્ડ પર કેટલુ ખરાબ પરફૉર્મન્સ આપી રહ્યુ છે.
વર્લ્ડ કપ 2019ની મેજબાન ટીમ ઇંગ્લેન્ડ પણ આ ટૂર્નામેન્ટમાં સારી ફિલ્ડિંગ નથી કરી રહી. પાકિસ્તાન પછી ઈંગ્લેન્ડ આ બાબતે 12 કેચ છોડીને બીજા નંબરે આવે છે. પોતાની ફિલ્ડિંગ માટે જાણીતા ન્યૂઝીલેન્ડે માટે પણ આ વખતનો વર્લ્ડ કપ સારો સાબિત નથી થઇ રહ્યો. ન્યૂઝીલેન્ડની ટીમે 9 કેચ છોડીને આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
કઇ ટીમે કેટલા કેચ છોડ્યા:
ટીમ ઇન્ડિયાએ આ વખતે ફિલ્ડિંગમાં સારી સ્ટ્રેર્જી અપનાવી છે. ફિલ્ડિંગ કોચે જણાવ્યુ કે, ટીમ માટે પૉઇન્ટ સિસ્ટમ બનાવાઇ છે. જેમાં કેચને ગ્રેડ આપવામાં આવે છે. ગ્રેડ વન સ્ટ્રેટફોરવર્ડ કેચ છે, જે તમારી તરફ આવે છે અને તમને એક પોઇન્ટ આપે છે. ગ્રેડ ટૂ તમને 2 પૉઇન્ટ આપે છે, જેમાં ફિલ્ડરે દોડીને કેચ પકડવાનો હોય છે. ગ્રેડ થ્રી ઓવ કેચ માટે છે જેને ઝીલવા માટે ચાન્સ ફિક્ટી-ફિફ્ટી છે. જો આ કેચ ના પકડાય તો કોઇ ફિલ્ડરને કહીં ના શકાય. પરંતુ જો કેચ પકાડઇ ગયો તો ગેમચેન્જર સાબિત થાય છે અને તેના બદલે ફિલ્ડરને 4 પૉઇન્ટ્સ મળે છે.
જો ફિલ્ડર સીધો આવેલો કેચ છોડી દે તો તેના બે પોઈન્ટ્સ કપાય છે. જો ગ્રેડ ટુ કેચ છૂટે તો ફિલ્ડરને એક પોઈન્ટ ગુમાવવો પડે છે. ગ્રેડ થ્રીનો કેચ છોડવા પર કોઈ પોઈન્ટ નથી કપાતો. ભારતે ફિલ્ડિંગ માટે 5 માપદંડ બનાવ્યા છે. જેમાં ઇન્ટરસ્પેશન, થ્રો, કેચ, રન આઉટ અને રનનો સમાવેશ થાય છે. આ તમામનો ડેટા કેલ્ક્યુલેટ થાય છે અને દરેક પ્લેયરની નેટ પ્રોડક્ટિવિટી રજૂ કરે છે. આ મેથોડોલોજીથી પ્લેયર્સની ફિટનેસ પણ વધી છે અને ટીમનુ ફોર્મ પણ સુધર્યુ છે.