આજે એરંડાના ભાવ સાવ તળિયે જઈને બેઠા છે ત્યારે રાજ્યભરના ખેડૂતો એંડાની હોળી કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો આ અંગે ટેકાના ભાવ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. જૂનાગઢ, અરવલ્લિ સહિતના યાર્ડમાં ખેડૂતો આ અંગે હડતાળ પાડીને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો SEBI (Securities and Exchange Board of India) અને NCDEX National Commodity and Derivatives Exchange)ની મિલિભગતની વાત કરી રહી છે.
દસ દિવસમાં એરંડાના ભાવમાં 350 રૂપિયાનું ગાબડુ
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ પાકે છે એરંડા
એરંડાના ભાવ ઘટાડવા પાછળ SEBI અને NCDEX મિલિભગતનો આક્ષેપ
એરંડા નો 10 દિવસ પહેલા મણનો ભાવ 1150 રૂપિયા હતો જે ઘટને હાલ રૂા. 800થી 840 થઈ ગયો છે જેને પરિણામે મણના ભાવમાં રૂા. 350 જેટલો ઘટાડો નોંધાયો છે. જેને કારણે ખેડૂતોને ખુબ નુકસાન જઈ રહ્યુ છે. ખેડુતોએ આ મુદ્દે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરીને ટેકાના ભાવથી ખરીદીની માંગ કરી છે. અરવલ્લિ અને જૂનાગઢમાં આ મુદ્દે હોબાળો થયો છે અને એરંડાની હોળીઓ થઈ રહી છે.
જૂનાગઢના વેપારીઓએ એંરડાની હોળી કરીને નોંધાવ્યો વિરોધ
એરંડાના ભાવમાં 350થી વધુનો ઘટાડો નોંધાતા ખેડૂતો નારાજ છે અને યાર્ડમાં હરાજી બંધ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. વેપારીઓએ એંરડાની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. વળી આ અંગે ખેડૂતોએ સરકાર ઉપર આક્ષેપ લગાવતા જણાવ્યું હતુ કે આ SEBI અને NCDEX મિલિભગત છે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને કંઈક મળે નહીં તો મહેનત સાવ પાણીમાં છે.
અરવલ્લીમાં દિવેલા(એરંડા)ના ભાવમાં થયો ઘટાડો
ઉત્તર ગુજરાત એરંડાની વાવણીને મામલે અવ્વલ છે ત્યારે પાલનપુર યાર્ડમાં એરંડના ભાવ તળિયે જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. દિવેલાના એક મણના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો નોધાયો છે. 10 દિવસ પહેલા દિવેલના ભાવ 1150 રૂપિયા હતા જે ઘટીને હાલ 800થી 840 રૂપિયા દિવેલનો ભાવ પહોંચ્યો છે. ટેકાના ભાવે દિવેલની ખરીદીની ખેડૂતોની માગ
ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચી રહ્યુ છે.
ગુજરાત એરંડના ઉત્પાદનમાં મોખરે
એરંડા એ ખરીફ સિઝનમાં વવાતો સૌથી મોટો રોકડિયો પાક છે. હાલ એરંડાના ભાવમાં ઘટાડાનું કારણ દિવેલની નિકાસમાં ઘટાડો છે. દેશભરમાં 9.66 લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થાય છે જેમાંથી લગભગ 13થી 14 લાખ ટન જેટલુ ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ 5.66 લાખ હેક્ટરમાં એરંડાની વાવણી કરવામાં આવે છે આ આંક 82 હજાર હેક્ટરે પહોંચ્યો છે.
ગુજરાતમાં આ વર્ષે 9.60 લાખ ટન એરંડાના ઉત્પાદનનો અંદાજ છે. ગયા વર્ષે આ આંક 14.84 લાખ ટન હતો. 2018માં એરંડાનું વાવેતર ગુજરાતમાં 5.85 હેક્ટર હતુ. 2018-19માં દિવેલાની કુલ નિકાસ 5.61 લાખ ટન હતી.
ઉત્તર ગુજરાતમાં પાકે છે સૌથી વધુ એરંડા
જે 2017-18માં 6.51 લાખ ટન હતી. ભારતને આ નિકાસ દ્વારા રૂા. 5,407 કરોડનું વિદેશી હૂંડિયામણ મળ્યુ હતુ. વિશ્વમાં એરંડા પકવતા દેશમાં ભારત અને બ્રાઝિલ મોખરે છે એમાંય કુલ ઉત્પાદનના 85છી 90 ટકા એરંડા ભારતમાં પાકે છે. ત્યારે ભારતમાં ગુજરાત અને તેમાંય ઉત્તર ગુજરાત એરંડાના ઉત્પાદનમાં મોખરે છે. એરંડાના ભાવ ઉપર તેજી મંદીની તલવાર કાયમ લટકતી રહે છે આતંરાષ્ટ્રીય વાયદા બજાર એરંડાના ભાવ ઉપર અસર કરે છે.
ભારતમાંથી ચીનમાં થાય છે સૌથી વધુ નિકાસ
ભારતમાંથી દિવલ તેલની નિકાસની વાત કરીએ તો વર્ષ 2019-20 એપ્રિલથી જૂન સુધીમાં દિવેલની નિકાસ રૂા. 1581 કરોડ હતી. ભારતમાંથી દિવેલની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે.