બોલિવૂડના કાસ્ટિંગ ડિરેક્ટર કૃષ કપૂરનું માત્ર 28 વર્ષની નાની ઉંમરે મુંબઈમાં નિધન થઈ ગયું છે. પરિવારે જણાવ્યું કે, બ્રેન હેમરેજના કારણે કૃષનું નિધન થયું છે. જોકે, સમાચાર એવા પણ છે કે, તેનું નિધન રોડ એક્સીડેન્ટમાં થયું, પરંતુ તેના મામા સુનીલ ભલ્લાએ આ સમાચારોનું ખંડન કરતા કહ્યું કે, તે ઘરમાં જ બેભાન થઈ ગયો હતો અને બ્રેન હેમરેજને કારણે તેનું મોત થઈ ગયું.
બોલિવૂડને વધુ એક ઝટકો
આ હસ્તીનું બ્રેન હેમરેજથી નિધન
માત્ર 28 વર્ષની વયે દુનિયાને કહી દીધું અલવિદા
बहुत जल्दी चला गया भाई, लेकिन जिंदगी की बहुत अच्छी यादें भी छोड़ गया तू, जहां भी गए हो वहां खुश रहो, मालिक आपकी आत्मा को शांति दे,
जिंदगी की सच्चाई यही है 🙏😭😭
ओम शांति #KrishKapoorpic.twitter.com/O989ngcMgY
કૃષના મામા સુનીલ ભલ્લા મુજબ, કૃષનું મોત 31 મેના રોજ થયું હતું. કૃષ એકદમ સ્વસ્થ હતો અને તેની કોઈ જ મેડિકલ હિસ્ટ્રી નહોતી. 31 મેએ તે અચાનક બેભાન થઈને પડી ગયો અને તેના શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને બ્રેન હેમરેજ થતાં તેનું નિધન થઈ ગયું.
તમને જણાવી દઈએ કે, કૃષએ કૃતિ ખરબંદાની ફિલ્મ 'વીરે દી વેડિંગ', મહેશ ભટ્ટની ફિલ્મ જલેબી અને અન્ય ડિજિટલ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ કર્યું હતું. પરિવારે જણાવ્યું કે, તેનું નિધન બ્રેન હેમરેજને કારણે થયું છે. તેના લગ્ન થઈ ગયા હતા અને એક સાત વર્ષનો દિકરો છે.
નોંધનીય છે કે આ વર્ષ બોલિવૂડ માટે ગ્રહણ સમાન સાબિત થયું છે. ત્યારે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીએ રિશિ કપૂર, ઈરફાન ખાન જેવા એક્ટર તેમજ યોગેશ ગૌર અને મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાન જેવા કલાકારો પણ ગુમાવ્યા છે.