હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા પીડિતોને એક સુવિધા આપવાનું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયાનું આયોજન છે.
હાઈવે પર અકસ્માતનો ભોગ બનેલા પીડિતોને મળી શકે કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા
કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં કરી જાહેરાત
ડ્રાઈવર,પેસેન્જર,રાહદારીઓ અને સાઈકલ સવારને મળશે આ લાભ
હાઈવે પર થતા અકસ્માતમાં પીડિતોને એક મોટો લાભ આપવાની તૈયારી કેન્દ્ર સરકારે શરુ કરી છે. આગામી સમયમાં હાઈવે અકસ્માત પીડિતોને કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા આપવાની કેન્દ્ર સરકારની વિચારણા છે. કેન્દ્ર સરકારની માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા હાઈવે પર થતા અકસ્માતોના પીડિતોને કેશલેસ ટ્રીટમેન્ટ ફેસિલિટી મળી રહે તેવી યોજના બનાવી છે. દેશના મહત્વના નેશનલ હાઈવે પર થતા અકસ્માતોના પીડિતો માટે આ યોજના લાગુ કરવાની સરકારની વિચારણા છે.
State-owned National Highways Authority of India is planning cashless treatment facility for road accident victims on all four arms of Golden Quadrilateral stretch: Road Transport and Highways Minister Nitin Gadkari
હાઈવે પર અકસ્માતનો ભોગ બનતા ડ્રાઈવર,પ્રવાસીઓ,રાહદારીઓને મળશે આ લાભ
લોકસભામાં એક લેખિત સવાલનો જવાબ આપતા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ ટ્રીટમેન્ટ સુવિધા આપવાની સરકારની યોજના છે જેમાં ડ્રાઈવર, પેસેન્જર, રાહદારીઓ અને સાઈકલ સવાર સામેલ છે. દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નઈ-કોલકાતા સહિતના કેટલાક હાઈવે પર થતા અકસ્માતને કારણે શરીર પર થયેલી ઈજાની સારવાર માટે રોકડ સુવિધા આપવાની સરકારની વિચારણા છે.
કેશલેસ સારવાર યોજનામાં આ લાભ પણ મળશે
ગડકરીએ કહ્યું કે અકસ્માત પીડિતોને કેશલેસ યોજનામાં પહેલા 48 કલાક માટે પીડિતોને ઝડપી હોસ્પિટલમાં પહોંચાડવા, હોસ્પિટલમાં દાખલ થયાના સમયથી અથવા 30,000 સુધીનો સારવાર ખર્ચ પૂરો પાડવાનો તથા એમ્બુલન્સ અકસ્માત સ્થળે પહોંચવાના સમયથી શરુઆત સામેલ છે.
હાઈવે પર 710 એમ્બ્યુલન્સ કાર્યરત
ગડકરીએ એવું પણ જણાવ્યું કે હાલની તારીખ સુધીમાં નેશનલ હાઈવે ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ હાઈવે પર 710 એમ્બ્યુલન્સ કાર્યરત છે.