હવે કેશ પાડવી વધુ મોંઘી થઈ જશે. ગ્રાહકના ATMથી નક્કી કરેલ લિમિટથી વધારે વખત પૈસા ઉપાડવા પર બેન્ક ચાર્જ વસુલશે.
કેશ ઉપાડવું વધુ મોંઘુ થશે
ATMમાંથી કેશ ઉપાડવા પર વધુ ચાર્જ લાગશે
પ્રતિ ટ્રાન્ઝેક્શન 21 રૂપિયા વધી જશે
હવે કેશ ઉપાડવુ વધુ મોંઘુ થવાનું છે. ગ્રાહકના ATMથી નક્કી કરેલ લિમિટ કરતા વધારે પૈસા ઉપાડ્યા બાદ બેન્ક ચાર્જીસ લાગી શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે હાલમાં જ બેન્કોને ઓટોમેટેડ ટેલર મશીન પર ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી આપી છે. જે 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
ગ્રાહક પોતાના બેન્કના ATMથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમાં નાણાકીય અને ગેરનાણાકીય ટ્રાન્ઝેક્શન બન્ને શામેલ છે. તેનાથી વધુ થવા પર તેમને દરેક ATM ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાથી વધુ રકમ આપવાની રહેશે. કેશ ઉપાડવા માટે બીજી બેન્કોના એટીએમનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નોન-મેટ્રો સિટીમાં પાંચ ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની પરવાનગી આપી છે.
1 ઓગસ્ટથી લાગુ થશે ઈન્ટરચેન્જ ફીના નવા નિયમ
જૂન 2019માં આરબીઆઈએ ATM ટ્રાન્ઝેક્શન માટે ઈન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપવાની સાથે એટીએમ ચાર્જની સમીક્ષા કરવા માટે એક સમિતિનું ગઠન કરવાનું હતું. RBIએ ATM ટ્રાન્ઝેક્શનના ઈન્ટરચેન્જ ફી દર ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા અને નોન-ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5થી વધીને 6 રૂપિયા કરી દીધો છે. નવા દર 1 ઓગસ્ટ, 2021થી લાગુ થશે. આરબીઆઈ અનુસાર ઈન્ટરચેન્જ ફી બેન્કો દ્વારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચેન્ટ દ્વારા લેવામાં આવતો ચાર્જ છે.
SBIએ પણ કર્યો છે સર્વિસ ચાર્જમાં ફેરફાર
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા હાલમાં જ જુલાઈની શરૂઆતમાં પોતાના એટીએમ અને બેન્ક શાખાઓમાંથી કેશ કાઢવા માટે લગાવવામાં આવતા ચાર્જમાં સંશોધન કરવામાં આવ્યું છે. SBIએ બીએસબીડી ખાતા ધારકો માટે નવા નિયમ લાગુ કર્યા છે.