સામાન્ય લોકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ઘરમાં રોકડ રકમ કોઈ મર્યાદા છે નહીં આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે.
શું ઘરમાં કેશ રાખવાની કોઈ લિમિટ છે?
તમે ઈચ્છો તેટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો
ઘરમાં રાખેલા પૈસાનો સંતોષકારક જવાબ આપવો પડશે
નહીંતર 137 ટકા ટેક્સ લાગી શકે
સામાન્ય લોકોના મનમાં એક સવાલ એ પણ ચાલે છે કે શું ઘરમાં કેશ રાખવાની કોઈ લિમિટ છે. જવાબ છે ના, તમે ઈચ્છો તેટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો જો કે સાવ એવું પણ નથી કે તમારી સામે કોઇ કાર્યવાહી ન થઈ શકે. આવકવેરા વિભાગ હજી પણ તમારા ઘરે દરોડા પાડી શકે છે અને દરોડામાં તમારા ઘેરથી મોટી માત્રામાં રોકડ પકડાય તો તે અંગે તમને ખુલાસો પૂછી શકે છે એટલે પૈસા ક્યાંથી આવ્યાં તેનો સાચેસાચો જવાબ તમારે આપવો પડશે નહીંતર પછી મોટી મુસિબત થતા વાર નહીં લાગે.
આવકવેરા વિભાગ તમને આવા સવાલ પૂછી શકે
ઉદાહરણ તરીકે જો તમારા ઘેરથી દરોડામાં રોકડ માત્રા પકડાય તો તે કેશ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ લાગે છે? આ કેટલાક એવા પ્રશ્નો છે જેનો તમારે સામનો કરવો પડશે. જો તમારી પાસે સ્ત્રોત વિશે મજબૂત પુરાવા છે અને તમે તેના પર ટેક્સ પણ જમા કરાવ્યો છે, તો તમારે ગભરાવાની જરૂર નથી.
સંતોષકારક જવાબ ન મળે તો 137 ટકા સુધી ટેક્સ લાગી શકે
જો આવકવેરા વિભાગ તમારા જવાબથી સંતુષ્ટ ન હોય અને તમારા દ્વારા આપવામાં આવેલા સ્ત્રોત દસ્તાવેજમાં ખામી જોવા મળે અથવા તે સાબિત થાય કે તમે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તો તમારે ભારે વળતરનો સામનો કરવો પડી શકે છે. તમારા પર ઘરમાં મળતી કુલ રકમના 137 ટકા સુધી ટેક્સ લગાવી શકાય છે.
એક વર્ષમાં 20 લાખથી વધુ જમા રકમ માટે પાન અને આધાર ફરજિયાત
જો તમે એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રોકડ બેંકમાં જમા કરાવો છો, તો તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ બતાવવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમને દંડ થઈ શકે છે. સાથે જ જો તમે 1 વર્ષમાં બેંકમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ કેશ ઉપાડો છો તો તમારે 2 ટકા ટીડીએસ આપવો પડશે. જો તમે એક દિવસમાં બેંકમાંથી 50,000 રૂપિયા અથવા તેનાથી વધુ રોકડ ઉપાડો છો, તો તમારે પણ પાન કાર્ડ બતાવવું પડશે.
ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી- સરકારે કહી ચૂકી છે
ખુદ સરકાર પણ કહી ચૂકી છે કે ઘરમાં રોકડ રાખવાની કોઈ મર્યાદા નથી. નિષ્ણાતોનું માનવું હતું કે ભારત વિકાસશીલ અર્થતંત્ર હોવાને કારણે તેના માટે ઓછામાં ઓછી મર્યાદા નક્કી કરવી મુશ્કેલ બનશે. તમે ઘરમાં ઇચ્છો તેટલી રોકડ રાખી શકો છો. તમારે એક જ નિયમ યાદ રાખવો જોઈએ કે તમારી આવકનો સ્રોત શું છે અને તમે કર ભર્યો છે કે નહીં તેનો હિસાબ તમારી પાસે હોવો જોઈએ.
રોકડ વ્યવહારોની મર્યાદા
રોકડ વ્યવહારો પરંપરાગત રીતે ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને કાળા નાણાંના સંચયનું સતત કારણ છે. કાળાં નાણાંનો સામનો કરવા માટે સરકારે સમયાંતરે રોકડ વ્યવહારો પર વિવિધ મર્યાદાઓ નક્કી કરી છે. આ મર્યાદાથી ઉપરની રોકડની ચુકવણી અથવા પ્રાપ્તિ ચુકવણી અથવા પ્રાપ્ત કરેલી રકમના 100 ટકા સુધીના ભારે દંડ સાથે શિક્ષાને પાત્ર છે. ભારતના આવકવેરાના કાયદા કોઈપણ કારણોસર 2 લાખ રૂપિયાથી વધુના રોકડ વ્યવહારો પર પ્રતિબંધ મૂકે છે. જેમ કે, જો તમે એક જ ટ્રાન્ઝેક્શનમાં ₹3 લાખના સોનાના દાગીના ખરીદી રહ્યા છો તો તમારે ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા બેંક ટ્રાન્સફર દ્વારા ચૂકવણી કરવાની રહેશે.