ATM ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર ખાતામાંથી પૈસા કટ થઈ ગયા હોય. જો તમારી સાથે પણ આવું થયું છે તો પરેશાન થવાની જરૂર નથી.
ATMમાં કેશને લઈને થઈ મુશ્કેલી?
બેન્ક 15 દિવસની અંદર આપશે પૈસા
જાણો તેના વિશેની માહિતી
મોટાભાગે લોકોની સાથે એવું થયા છે કે એટીએમમાંથી કેશ નથી નિકળતુ અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. ક્યારેય નેટવર્ક તો ક્યારેક કોઈ બીજા કારણોથી ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. જો તમારી સાથે જ પણ આવું કંઈ થયું છે તો પરેશાન થવાની જરૂર નથી. જો તમારા ટ્રાન્ઝેક્શન ફેલ થયા બાદ પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઈ રહ્યા છે તો તેની ફરીયાદ એ બેન્કને કરો, જેના તમે ગ્રાહક છો. બેન્કના કસ્ટમર કેરમાં કોલ કરી તમે તેની ફરીયાદ કરી શકો છો. ઘણી વખત પૈસા એટીએમમાં પણ ફસાઈ જાય છે. જો તમારા પૈસા એટીએમમાં ફસાઈ ગયા છે તો બેન્ક 12થી 15 દિવસની અંદર આ પૈસા રિફન્ડ કરી આપે છે.
વળતરની જોગવાઈ
કોઈ સ્થિતિમાં બેન્ક નિર્ધારિત સમયની અંદર તમારા ખાતામાંથી ડેબિટ કરવામાં આવેલી રકમને પરત નથી કરતી, તો વળતરળની જોગવાઈ છે. આરબીઆઈના નિયમો અનુસાર બેન્કને ફરિયાદના 5 દિવસની અંદર તેનું સમાધાન કરવાનું રહે છે. જો આ સમયગાળામાં બેન્કે સમાધાન ન કર્યું તો ત્યાર બાદ 100 રૂપિયા પ્રતિદિવસના હિસાબથી વળતળ આપવાનું રહે છે. જો તમે તેમ છતાં સંતુષ્ટ ન હોવ તો https://cms.rbi.org.in પર ફરીયાદ કરી શકો છો.
વળતરની રકમ નક્કી છે
આરબીઆઈના આ નિયમ દરેક ઓથોરાઈઝ પેમેન્ટ સિસ્ટમ જેવા કે કાર્ડ ટૂ કાર્ડ ફંડ ટ્રાન્સફર, PoS ટ્રાન્ઝેક્શન્સ, IMPS ટ્રાન્ઝેક્શન, UPI ટ્રાન્ઝેક્શન, કાર્ડ રહિત ઈ-કોમર્સ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ થાય છે. વળતળની રકમ નક્કી છે. ત્યાં જ ઘણા મામલામાં બેન્કની તરફથી વળતર આપવાનો સમયગાળો પર ઓછો છે. કાર્ડ ટૂ કાર્ડ ટ્રાન્સફર હોય કે આઈએમપીએસ, આ મામલામાં ફરિયાદના બીજા દિવસે તેનું સમાધાન કરવાનું હોય છે.
આ વાતોનું રાખો ધ્યાન
આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ એટીએમાં ટ્રાન્ઝેક્શન પુરૂ ન થાય તો તેવી સ્થિતિમાં તરત વિડ્રોવલના નોટિફિકેશન ચેક કરવું જોઈએ. સાથે જ બેન્ક એકાઉન્ટ બેલેન્સની જાણકારી પણ તરત હાસિલ કરવી જોઈએ કે એકાઉન્ટમાંથી પૈસા તો નથી કપાયાને. જો પૈસા કપાયા છે તો તમે પાંચ દિવસની રાહ જોઈ શકો છો. જો કપાયેલા પૈસા તેમ છતા ન આવે તો આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરિયાદને લઈને તમે બેન્ક સાથે સંપર્ક કરી શકો છો.