દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ડર વધવાની સાથે-સાથે લોકોએ એકવાર ફરી પોતાના ખર્ચની રીત બદલી છે. આપાત સ્થિતિમાં લોકોની રોકડ પર નિર્ભરતા વધી રહી છે. તેને પગલે ગત મહીનાઓની તુલનામાં માર્ચમાં રોકડ માંગ સૌથી વધારે રહી.
કોરોના વાયરસના સંક્રમણના ડર વધવાની સાથે લોકોએ પોતાના ખર્ચની રીત બદલી
બેન્કોમાંથી રોકડ કાઢવાનો આ છેલ્લા 16 મહીનાની તુલનામાં સૌથી ઉંચો સ્તર છે
રિઝર્વ બેન્કની તરફથી જારી આંકડા મુજબ, 13 માર્ચે ખતમ થયેલા પખવાડિયા સુધીમાં લોકોએ 53,000 કરોડ રૂપિયાની રોકડ બેન્કોમાંથી નીકાળી છે. બેન્કોમાંથી રોકડ કાઢવાનો આ છેલ્લા 16 મહીનાની તુલનામાં સૌથી ઉંચો સ્તર છે.
દૈનિક ભાસ્કરે રિઝર્વ બેન્કના હવાલાથી બતાવ્યું છે કે આટલી મોટી માત્રામાં કેશ માત્ર તહેવારો અને ચૂંટણીના સમયે નીકાળવામાં આવે છે. બેન્કિંગ સિસ્ટમ દ્વારા જનતાને રોકડ સપ્લાઇ કરનારી કેન્દ્રીય બેન્કે જણાવ્યું કે તેણે ગત 15 દિવસમાં આટલી રોકડ જારી કરી છે. 13 માર્ચ સુધી લોકોની પાસે કુલ 23 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ભલે ડીજીટલ ટ્રાન્ઝેક્શન વધ્યું છે, પરંતુ આપાત સ્થિતિને પગલે લોકોમાં સાવધાની અને ડર હાવી રહ્યો છે.
સ્ટેટ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ એસકે ઘોષે પોતાના હાલના જ એક રિસર્ચ નોટમાં લખ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન મોટાભાગે જરૂરી વસ્તુઓની ખરીદી કેશમાં થશે. અચાનકથી રોકડની માંગ વધવાની સ્થિતિમાં બેન્કોને રોકડની ડિલીવરી સુનિશ્ચિત કરવી પડશે. એક્સપર્ટ્સ મુજબ, નાણાકીય બજારમાં ઉતાર-ચઢાવના સમય દરમિયાન આ બજારમાં તરલતાની સ્થિતિને પ્રભાવિત કરી શકે છે.
એક્સિસ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી સૌગત ભટ્ટાચાર્યે કહ્યું કે લોકોને આશંકા હતી કે કોરોના વાયરસના સંકટની સ્થિતિમાં તે બેન્ક અને એટીએમ સુધી પહોંચી શકશે નહીં. આમ સાવચેતીના પગલે લોકોએ મોટી માત્રામાં બેન્કોમાંથી રોકડ નીકાળી છે. બેન્ક ઓનલાઇન ટ્રાન્જેક્શનને પ્રમોટ કરી રહી છે પરંતુ ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓએ ડિલીવરી સર્વિસ મર્યાદિત કરી દીધી છે. આ કારણે પણ લોકો ઓફલાઇન ખરીદી કરી રહ્યા છે, જેના માટે રોકડની જરૂર પડી રહી છે.