ગુજરાતમાં હાલ કોરોના સંક્રમન કાબૂમાં છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ઋતુજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિત અનેક જિલ્લાઓમાં હાલ રોગચાળો વકરતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
આરોગ્ય અધિકારી સહિતના જવાબદારોની રજા રદ
અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમજ કોર્પોરેશનના અધિકારીઓ સહિતના જવાબદારોની રજાઓ પણ રદ્દ કરી દેવાઈ છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, તેમજ ચિકનગુનિયાના કેસ વધતા અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. જો કે કેસનું પ્રમાણ વધતા મનપા દ્વારા શહેરમાં ફોગીનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો
ઉલ્લેખનિય છે કે ચોમાસાનું ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગોમાં ફેલાવો થતો હોય છે, અનેક વિસ્તારોમાં ચોમાસાનીં સિઝનમાં પાણનો ભરાવો થતા મચ્છરોના બ્રિડિંગ મળી આવતા હોય છે. જેના કારણે મેલિરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા સહિતના રોગોનું પ્રમાણ વધે છે. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે અલગ અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસમાં વિવિધ જગ્યાએથી મચ્છરોના બ્રિડિંગ મળતા તેઓને નોટિસ આપી દુકાનો અને કોમ્પ્લેક્ષને દંડ ફટકારવામાં આવ્યો છે.
ઝાડા ઉલ્ટી અને મેલેરિયાના કેસમાં વધારો
રાજ્યના મોટા શહેરોમાં વધુ પડતા ઝાડા-ઉલ્ટી, તાવ અને મેલેરિયાના લક્ષણો ધરાવતા દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. અકે તરફ ગુજરાતમાં હજુ પણ કોરોનાની એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે રોગચાળો વધતા દર્દીઓને ભારે હાલકીનો સામેનો કરવો પડી રહ્યો છે. શહેરોમાં ખાસ કરીને શરદી, સાદો તાવ જેવા કેસમાં વધારો થયો છે. રોજ નવા કેસ સામે આવતા હોસ્પિટલોમાં લાબી કતારો લાગતી જોવા મળે છે
એક સપ્તાહમાં મેલેરિયાના 10 કેસ
ઉલ્લેખનીય છે કે શહેરમાં હજું તો ચોમાસાનું આગમન થયું છે. હજુ 2 થી 3 મહિના સુધી વરસાદની સીઝન રહેશે. પરંતુ તે પહેલાજ રોગચાળો વકર્યો છે. શહેરમાં એકજ સપ્તાહમાં મેલેરિયાના 10 જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ઉપરાંત ઝાડા-ઉલ્ટી જેવા કેસ પણ વધી રહ્યા છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલનું નિવેદન
રાજ્યમાં ગત વર્ષ કરતા રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. ત્યારે આ અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ગત વર્ષે કોરોનાના લીધે લોકો બહાર ન હતા નીકળ્યા. આ વર્ષે કેસમાં વધારો થયો છે. વાયરલ, બેક્ટેરિયન ઇન્ફેક્શનમાં વધારો થયો છે. રાજ્યમાં 80 લાખ 73 હજાર લોગી પરીક્ષણ કરાયા છે. વસ્તીના 12 ટકા લોકોનું લોહી પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલ મલેરિયા 2132, ડેન્ગ્યુ 1042, ચિકનગુનિયાના 490 કેસ નોંધાયા છે. જ્યારે રોગચાળા પર કાબુ મેળવવા 580 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત છે.