રાજ્યમાં બાળકોને તરછોડી દેવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ગત વર્ષ નવરાત્રી ટાંણે જ રાજકોટમાં બાળકી અંબા મળી ત્યારે ગઈ કાલે ગાંધીનગરમાં એક માસૂમ બાળક મળ્યો છે
માવતર કેમ થઈ જતા હશે કઠોર?
નવરાત્રીમાં અંબા મળી અને ગઈકાલે સ્મિત
રાજ્યમાં બાળકને ત્યજી દેવાની કિસ્સાઓ વધ્યા
ગુજરાતમાં નવરાત્રિ પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજ્યામાં બનેલી એક ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને ભાવુક કર્યા છે. ગઈકાલે એક માસૂમ બાળકને ત્યજી દેવાનો કિસ્સો સામે આવ્યો ફુલ જેવા માસુમ કુમળી વયના બાળકને કોઈ રસ્તે રઝળતા, તરછોડીને ચાલ્યું ગયું છે જેના પરિવારજનોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી, ત્યારે ગત વર્ષ પણ પણ આવો જ કિસ્સો સામે આવ્યો હતો
નવરાત્રીમાં અંબા મળી અને ગઈકાલે સ્મિત
ગત વર્ષે નવરાત્રિ ટાંણે જ એક કુમળી અને નાજુક બાળકી મળી આવી હતી કોઈ મામૂમને જોઈ કઠોર મનનો માનવી પણ પીગળી જાઈ પરતું કુમળી ફુલ જેવી નાજુકને ત્યાજી દેવામાં આવી જે ઘટના બાદ સમગ્ર ગુજરાતનું હ્યદય કંપી ઉઠ્યું હતું, ત્યજી દેવાએલી બાળકી જે સ્થિતિમાં મળી આવી હતી તે જોતા જ ભાવ દ્રશ્યો સર્જાયા હતા જે બાદ બાળકીના પરિવારનો કોઈ પત્તો ન મળતા ખૂદ પોલીસ કમિશનર દ્વારા બાળકીને દત્તકલેવમાં આવી હતી અને બાદમાં તેને બાલાશ્રમમાં મોકલી દેવાઈ હતી જ્યાં ખૂદ પોલીસ કમિશનરે બાળકીનું નામ અંબા રાખવામાં આવ્યું હતું
પોલીસ કમિશનરે આપ્યું હતું બાળકીને નામ
રાજકોટ નજીક ઢેબચડા ગામની સીમમાં ત્યજી દેવાયેલ બાળકી મળી આવી હતી જે મોત સામે જજૂમી રહી હતી ત્યારે નવજાત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આખરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એ બાળકીને દત્તક લઈ બાળકીનું નામકરણ કરી બાળકીનું નામ અંબા આપ્યું હતું
બાળકીને બાલાશ્રમ મોકલી આપી હતી
જો કે બાદમાં કાઠિયાવાડ બાલાશ્રમમાં બાળકીનો ઉછેર કરવામાં આવતો, તે દરમિયાન પોલીસ કમિશનર સહિતની ટીમ અવાર નવાર બાલાશ્રમની મુલાકાત લેતી અને મદદરૂપ બનતી હતી, જે બાદ માસૂમ બાળકી અંબાને ઈટાલીના દંપતીએ વિવિધત દત્તક લીધી હતી, જે બાદ હવે અંબા ઈટાલીની નાગરિક બનવા જઈ રહી છે. મહત્વનું છે કે બે દિવસ પૂર્વ જ અંબા પોલીસના નવરાત્રી મહોત્વમાં આવતા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ બાળકી અંબાની રમાડીને ગિફ્ટ પણ આપી હતી અને શક્તિ આરાધના કરી હતી.
ગાંધીનગરમાં પણ ગઈ માસૂમ બાળકને ત્યજી દેવાયો
હાલ ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરમાંથી એક બાળક મળી આવ્યું છે, જેને મોડી રાત્રે અજાણી વ્યક્તિ દ્વારા મંદિરમાં તરછોડી દેવામાં આવ્યું, જો કે હાલ રાજ્યની પોલીસ દ્વારા બાળકના માતા પિતા તેમજ પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી છે, કુમળી વયના બાળકે આમ રસ્તે રઝળતા છોડીને ચાલી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે થોડા દિવસ પહેલા વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો
થોડા દિવસ અગાઉ પણ વડોદરામાં માસૂમને ત્યજી દેવાયું
વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર ગટરની બાજુમાં તરછોડાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા તો રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ ફોન કરી જાણ કરી હતી સાથે પોલીસ પણ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી, બાળકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ફતેગંજ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ ગટરની બાજુમાં કપડામાં લપેટેલું એક નવજાત જન્મેલું બાળક મળી આવ્યું હતું, કપડામાં વીંટાળેલા બાળક પર કીડીઓ ફરી વળતાં તાત્કાલિક તેને પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયું હતું,
રાજ્યમાં બાળકને ત્યજી દેવાના કિસ્સાઓ વધ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરના છાણી કેનાલ પાસે કોઈ અજાણી વ્યક્તિ એક નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. સવારે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતાં તેઓ બાળકને શોધવામાં લાગ્યા હતા. દરમિયાન તેમને કપડામાં વીંટાળેલું એક નવજાત બાળક મળ્યું. બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને એના કરડવાથી બાળક સતત રુદન કરતું હતું. ફતેગંજ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી બાળકને ત્યજી દેવાનો ગુનો કિસ્સામાં માતા-પિતાની તપાસ હાથ ધરી હતી.