એક વીડિયોમાં પાયલ રોહતગીએ તેમના વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો
પાયલ રોહતગી વિરૂદ્ધ કેસ દાખલ
મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ વિરૂદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી
વીડિયોમાં કરી હતી આપત્તિજનક ટિપ્પણી
અભિનેત્રી પાયલ રોહતગી પર પુણેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવાના કારણે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક વીડિયોમાં પાયલ રોહતગીએ તેમના વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તેમના પર સેક્શન 153 a, 500, 505(2) અને 34 આઈપીસીની ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
A case has been registered against actress Payal Rohatgi (in file pic) in Pune for allegedly using objectionable words against Mahatma Gandhi, Jawaharlal Nehru, Indira Gandhi & Rajiv Gandhi in a video shared on social media, under sections 153 (a), 500, 505(2) and 34 of IPC pic.twitter.com/6PICoD2sNm
ટ્રિપલ તલાકને લઈને કરી કમેન્ટ
ત્યાં જ આ પહેલા તેમણે સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરૂને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને મોટો વિવાદ ઉભો થયો હતો. પાયલે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, 'મને લાગે છે કે કોંગ્રેસ પરિવાર ટ્રિપલ તલાકની વિરૂદ્ધમાં એટલે હતો કારણ કે મોતીલાલ નહેરૂની પાંચ પત્નીઓ હતી. સાથે જ મોતીલાલ જવાહર લાલ નહેરૂના સોતેલા પિતા હતા. તેમણે પોતાના દાવા માટે એલિના રામાકૃષ્ણાની બાયોગ્રાફીનો હવાલો આપ્યો હતો. તેમના આ વીડિયો પર ખૂબ હંગામો થયા બાદ રાજસ્થાન પોલીસે આઈટી એક્ટની ધારા 66 અને 67 હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.'
જોકે આ પહેલી વખત નથી જ્યારે પોતાના કોઈ વિવાદિત નિવેદનના કારણે પાયલ મુશ્કેલીમાં ફસાઈ હોય અને તેના પર કેસ થયો હોય. આ પહેલા પણ ઘણી વખત અભિનેત્રીની ધરપકડ થઈ ચુકી છે. પાયલ પર થોડા મહિનાઓ પહેલા જ સોસાયટીના ચેરમેને ગાળો આપવા અને મારવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેની જામીન પણ થઈ ગઈ હતી.