અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU)માં પોલીસે 10,000 અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં હિંસા જોવા મળી હતી. હવે આ મામલામાં યોગી સરકારે એએમયૂના 10 હજાર અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
10,000 અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધાયો
અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં હિંસા મામલો
સીએએના વિરોધમાં થયું હતું વિરોધ પ્રદર્શન
પોલીસ મુજબ, 15 ડિસેમ્બરે કેમ્પસમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના મામલામાં આ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 15 ડિસેમ્બરે કેમ્પસમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસીના વિરોધમાં હોબાળો થયો હતો.
બીજી તરફ, મુઝફ્ફરનગરમાં લગભગ એક સપ્તાહ બાદ શનિવારે ઇન્ટરનેટથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
Case registered against 10,000 unidentified students of Aligarh Muslim University in connection with violence which broke out during protests against #CitizenshipAmendmentAct on December 15
AMU ના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ સલમાન ઇમ્તિયાજે આરોપ લગાવ્યો કે, 15 તારીખે પોલીસે વિદ્યાર્થીઓ પર બર્બરતા કરી હતી જેમા ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ યૂપી પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો ટ્વિટ કર્યો હતો. આ ટ્વિટમાં લખ્યું હતું કે, અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે એએમયૂ ગેટને કોઇ સુરક્ષા એજન્સી દ્વારા તોડવામાં આવ્યો નહોતો. આ વીડિયો તેની પુષ્ટી કરે છે.
ગેટ પર દેખાયા હતા પ્રદર્શનકારીઓ
એએમયૂ કેમ્પસમાં 15 ડિસેમ્બરે થયેલી હિંસાના આ વીડિયોમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ યૂનિવર્સિટીના ગેટ તરફ આગળ વધતા દેખાયા હતા. યૂનિવર્સિટીના સુરક્ષા કર્મીઓએ ગેટને બંધ કરી દીધો હતો પરંતુ ગેટ પર ઉભા પ્રદર્શનકારીઓ ઘણા ઉત્તેજિત નજરે પડ્યા.
વીડિયોમાં અલગ વાત
આ વીડિયો બાદ એસએસપી અલીગઢ આકાશ કુલહરીએ કહ્યું હતું, વીડિયોમાં જે દેખાઇ રહ્યું છે તે સત્ય બતાવે છે. અમે સુપ્રીમ કોર્ટમાં સોંગઘનામુ આપી કહ્યું કે એએમયૂ વિદ્યાર્થી ઘણા આક્રોશમાં હતા અને તણાવ ઉભો કરી રહ્યા હતા. પોલીસે આત્મરક્ષા માટે હલકો બળ પ્રયોગ કર્યો. આ મામલો કોર્ટમાં છે. 15 ડિસેમ્બરે એએમયૂમાં સીએએથી લઇને ઘણો હંગામો થયો હતો. કેમ્પસમાં ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થીનો હાથ કાપવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહીનો ભોગ બનેલા જામિયા મિલિયા ઇસ્લામિયા અને એએમયૂના વિદ્યાર્થીઓ પ્રત્યે એકજુટતા બતાવવા માટે 25 ડિસેમ્બરે કેમ્પસમાં કેન્ડલ માર્ચ નીકાળી હતી. આ દરમિયાન 1200 અજાણ્યા લોકોની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.