સાબરકાંઠા અને એરવલ્લી જીલ્લાના 9 જેટલા ખેડુતો પર પેપ્સીકોએ કેસ કરીને એક એક કરોડના દાવા કર્યા છે. જેનાથી ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે તો રાષ્ટીય કિસાન પરિષદ અને મોડાસાના ધારસભ્ય આ ખેડૂતોને વ્હારે આવ્યા છે અને રાષ્ટીય કિસાન પરિષદ દ્રારા ચીમકી પણ ચ્ચારાઈ છે કે, જો કેસ પાછા નહીં ખેચાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ગયા વર્ષે 5 અને ચાલુ વર્ષે 4 ખેડુતો પર કંપનીએ કોર્ટમાં કેસ કરીને એક એક કરોડનો દાવો કર્યો હતો. સમગ્ર મામલાની વાત કરીએ તો 2018માં એમેરિકાની પેપ્સીકો કંપનીએ મોડાસાની કોર્ટમૅં પાંચ ખેડુતો સામે કેસ કરી એક એક કરોડનો દાવો કર્યો છે. જ્યારે આ વર્ષે અમદાવાદની કોર્ટમાં સાબરકાંઠા અને અરવલ્લીના વધુ ચાર ખેડુતો ઉપર કેસ કરવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, ખેડુતોએ એફ,સી.-5 પ્રકારના બટાકાનુ વાવેતર કરી કંપનીના વિશિષ્ટ જાતના બટાકાનુ વાવેતર કર્યુ હોવાનો દાવો કર્યો છે. કંપનીએ રજીસ્ટર ટ્રેડમાર્ક કરાવેલી ખાસ વેફર માટેની જાતના બટાકા ઉગાડ્યા પછી કંપનીના સુપરવાઈઝરોએ કંપનીને નુકશાની થયાનો દાવો કરવામાં આવ્યો છે. આ રીતે કંપની ધ્વારા ખેડૂતો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો ને ડરાવવામાં આવી રહ્યા છે.
વિદેશી પેપ્સીકો કંપની એ બટાકાના ઉત્પાદન અને વેચાણ માટે ગુજરાતના ખેડૂતો ઉપર કરેલા કેસો રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પાછા ખેંચાવે અને જો સરકાર કેશો પાછા નહી ખેચાવે તો રાષ્ટીય કિસાન પરિષદ ધ્વારા તમામ પ્રોડકટ ઉત્પાદનોના દેશવ્યાપી બહિષ્કારનુ આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. કંપનીએ ખેડૂતો ઉપર કરેલા કેસો એ ખેડૂતો ઉપર અત્યાચાર છે અને ખેડૂતોના અધિકાર ઉપર તરાપ સમાન ગણાવ્યુ છે. સાથે મોડાસાના ધારાસભ્યએ પણ આ મામલે પોતે વિધાન સભામાં અને સરકાર ને રજૂઆત કરશે અને જરૂર પડે ખેડૂતોને તમામ પ્રકાર ની મદદ કરશે અને આ વિદેશી કંપની કેસો પાછા ખેચે તેવી માંગ કરી હતી.
પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો સામે એક એક કરોડની નુકશાનીનો દાવો કર્યો છે. આ ઘટનાને ખેતી સાથે જોડાયેલા તજજ્ઞો ખેડૂતોના હક્ક ઉપરનો તરાપ ગણે છે. ભારતમાં બીજની પેટન્ટ જ થઈ શકતી ત્યરે પેપ્સીકોઅ ખેડૂત ઉપર કરેલ કેસ માત્ર ખેડૂતોને દબાણમાં લાવવા અને ધમકાવવા માટે જ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકન કંપનીએ આ રીતે પોતાના દેશમાં અનેક ખેડૂતો ઉપર કરોડો ડોલરના દવા કર્યા છે, પરંતુ આ કંપની ભૂલી રહી છે કે આ અમેરિકા નહી પણ ભારત છે.