કોર્ટની પરિસરમાં જ હાજર લગભગ ૧૦૦થી ૧૫૦ જેટલા વકીલ દ્વારા મહિલા PSI અને અન્ય પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
મહિલા PSI પર થયેલા હુમલાનો મામલો
પોલીસ કમિશનરને ચીફ જસ્ટિસનું તેડું
પોલીસ કમિશનર જશે કોર્ટ
અમદાવાદમાં મહિલા PSI પર થયેલા હુમલાને મામલે ચીફ જસ્ટિસ એક્શન લીધી. અમદાવાદ પોલીસ કમિશનરને ચીફ જસ્ટિસે બોલાવ્યા છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર કોર્ટમાં જશે. જે બાદ ચીફ જસ્ટિસ અને પોલીસ કમિશનર વચ્ચે ચર્ચા થશે. સમગ્ર મામલે હાલ જવાબદાર વકીલો અને પોલીસ સામસામે છે.
અમદાવાદ મેટ્રોકોર્ટમાં વકીલ-પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો
વકીલોએ ધરપકડથી બચવા મેટ્રો કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી
મેટ્રો કોર્ટના બાર એસો.ના વકીલો સામે મહિલા PSIએ કરી હતી ફરિયાદ
આવતીકાલે મેટ્રો કોર્ટમાં વકીલોની અરજી પર થશે સુનાવણી
મહિલા PSI એ 10 વકીલ વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ
વિધાનસભાના શરૂઆતમાં જ કોંગ્રેસનો હોબાળો
અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSIનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. ગૃહમાં કોળી મહિલા PSIને ન્યાય આપો તેવા નારા લાગ્યા હતા જે બાદ કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. હોબાળો કરી કોંગ્રેસના ધારાસભ્ય પાછા ગૃહમાં પહોંચ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં પોતાની ફરજ બજાવતા વર્ષા જાદવ નામના PSIએ દારૂ ઢીંકેલા આરોપી વીકી કોડી નામના ઈસમને અટકાયત કરી હતી જે બાદ આરોપીની બહેન અને માતાએ ખોટી રીતે વીકી કોડીની ધરપકડ કરવામાં આવી હોવાનું કહી પોલીસ સ્ટેશનમાં ઉહાપોહ કર્યો હતો. આપણે જણાવી દઈએ કે આરોપીની બહેન વકીલ હોવાથી તેને પોલીસને અને ખાસ કરીને મહિલા PSIને જોઈ લેવાની ધમકી પણ આપી હતી જે બાદ મહિલા વકીલ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જ્યારે મહિલા વકીલને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે કોર્ટની પરિસરમાં હાજર લગભગ ૧૦૦થી ૧૫૦ જેટલા વકીલ દ્વારા મહિલા PSI અને અન્ય પોલીસ કર્મીઓ ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. જેની જાણ તુંરત પોલસ કંટ્રોલ રૂમમાં પણ કરવામાં આવી હતી પણ ફોનથી જાણ કરવા છતાંય પોલીસ બનાવના સ્થળે પહોંચી ન હતી.
ઇજાગ્રસ્ત મહિલા PSIને મળવા કોંગ્રેસના ધારાસભ્યો ગયા હતા
ગઈકાલે ધારાસભ્ય પુંજા વંશ, ઋત્વિજ મકવાણા, બાબુભાઇ વાજા સહિતના ધારાસભ્યો ઇજાગ્રસ્ત મહિલા PSIની ખબર અંતર પૂછવા સિવલી હોસ્પિટલ દોડી ગયા હતા. જે બાદ પુંજા વંશ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે વિશ્વ મહીલા દિવસે ગૃહમાં મહિલા સશક્તિકરણની માત્ર વાતો કરી હતી. ન્યાયનું સંકુલ છે ત્યાં જ ખાખી વર્દી પર હુમલો થાય તે કેટલું યોગ્ય ? સાથે જ હુમાલાખોર પર સવાલ કરતાં કહ્યું હતું કે મહિલા PSI કોર્ટમા રજૂ કરે છે ત્યારે પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા કથળી છે. PSI પર હુમલો થયો તે બાબતે ગહન તપાસ થવી જોઈએ.