અમદાવાદમાં કુષ્ણનગરના વિશ્વાસ એપોર્ટમેન્ટમાં રહેતા ચાર યુવકો ડૂબવાની ઘટના સામે આવી હતી જેમાં ચાર દિવસથી યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે છતા હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
કેનાલમાં 4 યુવાનો ડૂબવોનો મામલો
રાયપુરની કેનાલમાં યુવાનોની શોધખોળ
4 દિવસથી યુવાનોની ચાલી રહી છે શોધખોળ
ગાંધીનગર પાસે નર્મદા કેનાલમાં બુધવારે ડૂબી ગયેલા ચારેય યુવકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. અમદાવાદમાં કુષ્ણનગરના વિશ્વાસ એપોર્ટમેન્ટમાં રહેતા આ યુવકો કેનાલમાં સેલ્ફી લેવા જતા પગલ લપસ્યો હતો તે દરમિયાન તેઓ કેનાલમાં ગરકાવ થયા હતા. પરતું હજું સુધી એક પણ યુવકનો પત્તો લાગ્યો નથી.
રાયપુરની કેનાલમાં યુવાનોની શોધખોળ
યુવકોને શોધવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડ તેમજ અન્ય ફાયરબ્રિગેડના જવાનનોની મદદ લેવામાં આવી પરતું NDRFના જવાનોને ખાસ સફળતા મળી ન હતી મહત્વનું છે કે ફાયરના જવાનો દ્વારા મોડી સાંજ સુધી કેનાલમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરતું ચારેય યુવાનો કોઇનો પત્તો લાગ્યો ન હતો. નરોડા-દહેગામ હાઈવે પર આવેલી રાયપુર નર્મદા કેનાલના કિનારે બર્થ ડે સેલિબ્રેટ કરવા આ યુવાનો ભેગા થયા હતા. જેમાં પાંચમાંથી ચાર યુવક ડૂબી ગયા હતા. યુવકો કેનાલની રેલિંગ કૂદીને ફોટોગ્રાફી કરવા માટે નીચે ઉતર્યા ત્યારે એક યુવકનો પગ લપસ્યો હતો અને તેને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ડૂબી ગયા હતા.
4 દિવસથી યુવાનોની ચાલી રહી છે શોધખોળ
અમદાવાદના કૃષ્ણનગર સરદાર ચોકમાં વિશ્વાસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગૌરવ સુરેશ ભારથી બાવા, સ્મિત પટેલ, જયદીપ સબલાણીયા, નિકુંજ સાગર, સાહિલ પટેલ રાયપુર કેનાલ ખાતે ભેગા થયા હતા. અમદાવાદમાં ચાર મિત્રો રેલિંગ કૂદીને કેનાલની નજીક ગયા હતા. તેઓ ફોટોગ્રાફી કરવા માટે કેનાલની છેક નજીક પહોંચ્યા હતા અને ગૌરવ એક્ટિવા ચાલુ કરવા જતો હતો. દરમિયાન કેનાલમાંથી બૂમાબૂમનો અવાજ આવતાં ગૌરવ દોડ્યો હતો. તેણે જોયું તો ચારેય મિત્રો ડૂબી રહ્યા હતા અને બુમાબુમ કરી મુકતા જોત-જોતામાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. આ ઘટનાને ચાર દિવસ થયા હોવા છતા હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે.