ગુજરાત હાઇકોર્ટમાં AMOS કંપનીના MD સમીર પટેલે કરેલી જામીનની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી
બરવાળાના કેમિકલકાંડનો મામલો
AMOS કંપનીના MD સમીર પટેલની જામીનને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
ગંભીર ગુનાનાં આરોપીને જામીન ન આપી શકાય-સરકાર
બોટાદના બરવાળા કેમિકલ કાંડ મામલે AMOS કંપનીના માલિક સહિત અન્ય 4 લોકોએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાંથી કંપનીના 2 ડાયરેક્ટરોને કોર્ટે 18 ઓગસ્ટના રોજ રાહત આપી હતી. ચંદુ પટેલ અને પંકજ પટેલની વધુ ઉંમરને કારણે ધરપકડ પર કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. બંન્ને ડાયરેક્ટરોએ આગોતરા જામીન માટે કરી અરજી કરી હતી. જ્યારે સમીર પટેલ અને અન્ય 1 ડાયરેક્ટરના જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગંભીર ગુનાનાં આરોપીને જામીન ન આપી શકાય: સરકાર
AMOS કંપનીના MD સમીર પટેલની જામીનને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સરકારે ધારદાર રજૂઆત કરી હતી. અને કોર્ટમાં ટાંક્યું હતું કે કંપનીમાંથી સપ્લાય થતાં મિથાલઇમાં આલ્કોહોલની ઘટ હતી, ઓડિટ રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. આરોપી જયેશને કંપનીમાંથી રૂપિયા 35 લાખ મળ્યા હતા. ગંભીર ગુનાનાં આરોપીને જામીન ન આપી શકાય. બંને પક્ષની રજૂઆતો બાદ કોર્ટે જામીન અરજી પર વધુ સુનાવણી ટાળી સમય આપ્યો હતો.
સરકારી વકીલે અગાઉની સુનાવણીમાં શું કહ્યું હતું?
મહત્વનું છે કે લુક આઉટ નોટિસ બાદ ડિરેક્ટર સમીર પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં અરજીમાં પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની દલીલ કરતા કરી હતી જેણે કોર્ટે નકારી દીધી હતી. આ મામલે સરકારી વકીલે નિવેદન આપતા કહ્યું કે આરોપીઓને વારંવાર બોલાવાયા છતાં હાજર રહ્યાં નથી, માનવવધના ગુનાહિત કૃત્ય સહિતના ગુનામાં તપાસ ચાલુ છે. મૃતકો-અસરગ્રસ્તો માટે એમોસ કંપની-ડાયરેક્ટરો સીધા જવાબદાર છે. કંપની દ્વારા મિથેનોલ આલ્કોહોલનું વેચાણ કરાતું હોવાનું કોર્ટે નોંધ્યુ છે.
અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ
બરવાળા લઠ્ઠાકાંડ મામલે નશાબંધી અને આબકારી વિભાગે કાર્યવાહી કરી હતી. નશાબંધી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું મિથેનોલ કેમિકલ રાખવાનું લાયસન્સ રદ કર્યું હતું, ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવાયેલું મિથેનોલ કેમિકલ AMOS કંપનીમાંથી ચોરી કરીને લાવવામાં આવ્યું હતું. ઉપરાંત AMOS કંપનીએ ફિનાર કંપનીમાંથી આ કેમિકલ લીધું હતું. લઠ્ઠાકાંડ થયા બાદ AMOS કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પણ કંપનીમાંથી કેમિકલ મળી આવ્યું હતું.
સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરી લાયસન્સ રિન્યુ જ નથી કર્યું
કારણ કે, તમને જણાવી દઇએ કે, AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે. આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.
આરોપી જયેશ AMOS કંપનીમાંથી કેમિકલ ચોરી બુટલેગરોને આપતો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.