પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ આરોપોનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. આ મામલામાં કેટલાક વકીલોએ સુપ્રીમ કોર્ટથી સ્વત સંજ્ઞાન લેવાનો અનુરોધ કર્યો હતો. એમણે કહ્યું કે આરોપ લગાવનાર વિદ્યાર્થીની ત્રમ દિવસથી ગાયબ છે તેથી સુપ્રીમ કોર્ટ દખલ દે.
સુપ્રીમ કોર્ટે મામલામાં સંજ્ઞાન લીધું. જસ્ટિસ આર બાનુમતિની પીઠ કાલે સુનાવણી કરશે. આ મામલો શાહજહાંપુરની એલએલએમની વિદ્યાર્થીની સાથે જોડાયેલો છે જેણે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ પર એના પર અને અન્ય ઘણી વિદ્યાર્થીનીઓ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવાયો છે. ફેસબુક લાઇવ વીડિયામાં આરોપ લગાવાયા બાદ એ ગાયબ થઇ ગઇ.
આરોપી ભાજપ નેતા ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં સ્વામી શુકદેવાનંદ લો કોલેજના ડિરેક્ટર છે. જ્યાં ગાયબ ફરિયાદકર્તા યુવતી એલએલએમની વિદ્યાર્થીની છે. નેતાથી તેના અને તેના પરિવારને ખતરો બતાવતા ફરિયાદકર્તાએ ગત સપ્તાહે ફેસબુક પર એક લાઇવ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમા આરોપ લગાવાયો હતો કે ચિન્મયાનંદે 'ઘણી છોકરીઓના જીવનને નષ્ટ કરી દીધું છે.'