અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતી બે સગીર બહેનો એકાએક રહસ્મય રીતે ગુમ થઈ ગઈ હતી. ત્યારે આ અંગે પરિવારજનોએ પોલીસે મથકે અપરહરણની ફરિયાદ નોંધાવી.
અંકલેશ્વરના સારંગપુર ગામે 2 બહેનો ગુમ થવાનો મામલો
બંને બાળકીઓને શોધીને પોલીસે પરિવારજનોને સોંપી
2 સગી બહેનો રહસ્યમય સંજોગોમાં થઈ હતી ગુમ
14 વર્ષની અને 13 વર્ષની બાળકીઓ પુનાથી મળી આવી
અંકલેશ્વરના સારંગપુર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા પરિવારની બે સગીર પુત્રીઓ દુકાનેથી ઘરે જતાં લાપતા બની હતી. આ અંગે માતા-પિતાએ આસપાસ તપાસ કરતા બંનેય બહેનો નહિ મળી આવતા અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ પણ સક્રિય થઈને એસટી ડેપો, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં બંનેય બહેનોની તલાશ કરતા બંનેય નહિ મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને બંનેની શોધવાની તજવીજ હાથ ધરી હતી.
બન્ને બહેનો મહારાષ્ટ્રના પૂના રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવી
બાદમાં આ બન્ને બહેનો મહારાષ્ટ્રના પૂના રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવી છે. પૂના રેલ્વે સ્ટેશન પર રેલ્વે પોલીસે બાળકીઓને જોતાં તેઓની પૂછપરછ કરી હતી જેમાં તેઓ બન્ને અંકલેશ્વરની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે રેલ્વે પોલીસે અંકલેશ્વર પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસની ટીમે પૂના પહોંચી બાળકીઓનો કબ્જો મેળવ્યો હતો અને બાદમાં પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.