તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ના સત્તાવાર નિવાસ સ્થાન પ્રગતિ ભવનના એક પાળતું કુતરા (Dog) નું મોત થતાં હૈદરાબાદ પોલીસે એક પશુ ડોક્ટર (Veterinarian) વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ડોક્ટર વિરૂદ્ધ આરોપ બેદરકારીનો આરોપ લગાડવામાં આવ્યો છે.
તેલંગણાના મુખ્યમંત્રીનો કુતરો મરી જતા ડોક્ટર સામે કેસ
બેદરકારીનો આરોપ
ડોક્ટર વિરૂદ્ધ નોંધાયો કેસ
ડો.રંજીત અને અન્ય એક પશુ ડોક્ટરનાં પ્રભારી વિરૂદ્ધ શનિવારે બંજારા હિલ્સ થાણામાં કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસે તેમની વિરૂદ્ધ IPC કલમ 423 અને પશુ ક્રુરતા રોકથામ અધિનીયમની કલમ 11(4) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઇંજેક્શન દીધા બાદ મૃત્યુ પામ્યો
હસ્કી નામનો 11 મહિનાનો કુતરો કથિત રીતે 11 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર દ્વારા ઇંજેક્શન દીધા બાદ તે મૃત્યુ પામ્યો હતો, પ્રગતિ ભવનમાં પાળતું કુતરાની દેખભાળ કરનાર આસિફ અલી ખાનની ફરિયાદન પર પોલીસે મામલો નોંધીને તપાસ હાથ ધરી છે. તેના પર બેદરકારીનો આરોપ લાગેલો છે.