અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું તેની પાછળનું કારણ શું હતું. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિહારમાં સુશાંતની આ નજીકની મિત્ર સામે કેસ ફરિયાદ નોંધાઇ છે.
સુશાંત કેસમાં રિયાની મુશ્કેલી વધી
બિહારમાં નોંધાઇ પોલીસ ફરિયાદ
અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે તેણે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. મુઝફ્ફરપુરના રહેવાસી કુંદન કુમારે રિયા ચક્રવર્તી પર આ મોટો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે શનિવારે સીજેએમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. આ મામલે 24 જૂને સુનાવણી યોજાશે.
સુશાંતના ચાહકે રિયા પર લગાવ્યો આક્ષેપ
કુંદન કુમારનું માનવું છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતનો જોરદાર ઉપયોગ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, રિયાએ સુશાંતને માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપ્યો છે. એટલું જ નહીં, કુંદનને એવું પણ લાગે છે કે જ્યારે રિયાની કારકિર્દી સેટ થઈ ગઇ, ત્યારે તેણે સુશાંતને છોડી દીધો હતો. આ તરફ, કુંદન કુમારના વકીલે કહ્યું હતું કે, મારા ગ્રાહકો સુશાંતના ઘણા મોટા ચાહકો છે. તે આપઘાત કર્યા બાદથી ખૂબ જ પરેશાન છે. તેઓને IPCની કલમ 306 અને 420 હેઠળ કેસ નોંધ્યો છે.
બોલિવૂડના દિગ્ગજો પણ મુશ્કેલી વધી
આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે રિયા ચક્રવર્તીની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. તેણી સુશાંતની ખૂબ નજીક હોવાથી, આવી સ્થિતિમાં સુશાંતે આત્મહત્યા કેમ કરી તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે, થોડા દિવસો પહેલા બીજા વકીલે બોલીવુડ સ્ટાર્સ વિરુદ્ધ અરજી કરી હતી. આ યાદીમાં કરણ જોહરથી લઈને એકતા કપૂર સુધી ઘણા દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે બધા પર સુશાંતની કારકિર્દી બગાડવાનો આરોપ હતો.