એનસીપી સુપ્રીમો શરદ પવાર પર વિવાદીત ફેસબુક પોસ્ટ લખનાર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની ઠાણે પોલીસે ધરપકડ કરી છે.
મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલેની ધરપકડ
એનસીપી ચીફ શરદ પવાર પર કરી હતી વિવાદીત ટીપ્પણી
નામ લીધા વગર કહ્યું હતું કે નરક તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક ફેસબુક પોસ્ટ શેર કરવાના આરોપસર મરાઠી અભિનેત્રી કેતકી ચિતલેને થાણે પોલીસે કસ્ટડીમાં લીધી છે. આ કેસમાં કેતકી સામે ત્રણ એફઆઈઆર નોંધાઈ છે. વાસ્તવમાં, અભિનેત્રી કેતકી ચિતાલેની ફેસબુક પોસ્ટથી એનસીપીના કાર્યકરો નારાજ હતા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા.
#UPDATE | Marathi actress Ketaki Chitale has been taken into custody by Thane police.
તમે બ્રાહ્મણોને નફરત કરો છો, નરક તમારી પ્રતિક્ષા કરી રહ્યું છે-કેતકીએ લખ્યું હતું
મરાઠીમાં લખેલી આ સોશિયલ મીડિયા પોસ્ટમાં શરદ પવારનું નામ નથી. પરંતુ 'પવાર' અને '80 વર્ષ જૂના' ઉપનામોનો ઉલ્લેખ છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે "નરક તમારી રાહ જોઈ રહ્યું છે" અને "તમે બ્રાહ્મણોને નફરત કરો છો" આવી ટિપ્પણીઓ છે, જે કથિત રીતે શરદ પવારને અપમાનિત કરવા માટે લખવામાં આવી છે.
કેતકી સામે નોંધાઈ 3 ફરિયાદ
થાણે પોલીસે કેતકી ચિતાલેની સામે 3 ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં કેતકી વિરુદ્ધ માનહાનિ કરનારા લોકોમાં નફરત ફેલાવવા સહિતના અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એનસીપીના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા પર પવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપ અને આરએસએસ પર દોષારોપણ કરી રહ્યા છે.
23 વર્ષીય વિદ્યાર્થીની પણ ધરપકડ, લખ્યું- બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ફાર્મસીના 23 વર્ષીય વિદ્યાર્થીને ટ્વિટર પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નાસિકના સતાનાના રહેવાસી નિખિલ ભામરેની ડિંડોરી પોલીસે ધરપકડ કરી છે. નિખિલે તેના ટ્વીટમાં કહ્યું હતું કે, "બારામતીના ગાંધી માટે બારામતીના નાથૂરામ ગોડસે" બનાવવાનો સમય આવી ગયો છે. જો કે તેમણે ટ્વિટમાં કોઇ નેતા કે રાજકીય પાર્ટીના નામનો ઉલ્લેખ કર્યો નથી.