જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરીની ચૂંટણીમાં મીડિયાકર્મીઓ પર હુમલા થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા મીડિયાકર્મીઓએ SP કચેરીએ ધરણા કર્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકારોએ SP કચેરીએ ધરણા કર્યા હતા. મીડિયાકર્મીઓએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. મીડિયાકર્મીઓ પર થયેલા હુમલા બાદ ધરણામાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી પણ જોડાયા હતા અને તેમણે પણ જૂનાગઢના SPને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ થઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન પોલીસે મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવાની શરૂઆત કરી હતી. પોલીસે મીડિયાકર્મીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.