ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક મંદિરના પૂજારી દ્વારા અઝાનના સમેય કથિત રીતે લાઉડસ્પિકર પર હનુમાન ચાલીસાનું પઠન કરવા પર પોલીસે તેમના પર એક્શન લીધી છે.
યુપીમાં અઝાનના સમયે હનુમાન ચાલીસાનું પઠન કરતા કાર્યવાહી
પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
પૂજારી આમરણ ઉપવાસ પર બેઠા
ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક મંદિરના પૂજારી દ્વારા અઝાનના સમેય કથિત રીતે લાઉડસ્પિકર પર હનુમાન ચાલીસાનું પઠન કરવા પર પોલીસે તેમના પર એક્શન લીધી છે. કાર્યવાહીથી નારાજ પૂજારીએ પ્રશાસનિક અધિકારીઓ અને પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતા ગાંધી ચબૂતરા પર આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. પૂજારીએ આરોપ લગાવ્યો છે કે, કોઈ પણ તપાસ વિના ઉતાવળ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પૂજારીએ પોતાના પર લગાવેલા આરોપને નિરાધાર ગણાવ્યા છે.
પૂજારીએ કહી આ વાત
પૂજારીએ કહ્યું કે, સ્ટેશન રોડ પર આવેલી મસ્જિદ સામે મંગળવારે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. પણ લાઉડસ્પિકરનો ક્યાય ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જિલ્લાના અધિકારીઓ અને પોલીસે સચ્ચાઈ જાણ્યા વગર કાર્યવાહી કરી છે. જેનાથી સંત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. કોઈએ સિટી મજિસ્ટ્રેટને ખોટી ફરિયાદ કરી, જે બાદ શાંતિ ભંગ કરવા માટે કાર્યવાહી થઈ છે. આ પ્રકારની એક્શનથી સંત સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.
ફરિયાદના આધારે પોલીસે લીધી એક્શન
સાથે જ મારી છબી ખરાબ થઈ છે. હું ગાંધી ચબૂતરા પર આમરણ ઉપવાસ પર બેઠો છું અને મુખ્યમંત્રી, જિલ્લા અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને એક પત્ર પણ લખ્યો છે. પોલીસ પ્રભારી શિવ કુમાર રાઠોરે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે કાર્યવાહી કરવામા આવી છે. રાઠોરે કહ્યું કે, તુલસી નગર નિવાસી પૂજારી મત્સ્યેન્દ્ર ગોસ્વામીએ 19 એપ્રિલે સ્ટેશન રોડ પર મસ્જિદની સામે કથિત રીતે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તેના માટે બુધવારે તેમના વિરુદ્ધ શાંતિ ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.