દિલ્હીની કુંડળી બોર્ડર પર રહેતા ખેડૂતો વિરુદ્ધ NHAI અને નગરપાલિકાએ પાકા મકાન બનાવવા અને બોરવેલ લગાવવા મામલે કેસ દાખલ કર્યો.
ખેડૂતો વિરુદ્ધ દાખલ થયા કેસ
કુંડલી બોર્ડર પર ખેડૂતોએ બનાવ્યા મકાન
પાકા મકાન બનાવતા કેસ દાખલ
બોરવેલ લગાવવા મુદ્દે કેસ દાખલ
કુંડળી બોર્ડર પર ખેડૂત કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના વિરોધમાં હાઈવે પર પાકા મકાન બનાવવાનું શરૂ કરવા અને બોરવેલ લગાવવાને લઈને NHAI અને નગરપાલિકાએ કેસ નોંધાવ્યો છે. આ સમયે ખેડૂતોના વિરોધને જોતા ભાજપ નેતાઓના કાર્યક્રમો રદ્દ કરાયા છે. પંજાબમાં જયાં સાંસદ શ્વેત મલિકનો ઘેરાવો કરાયો ત્યાં હરિયાણાના ઝજ્જર અને કરનાલમાં વિરોધની આશંકાની સાથે ભાજપ નેતાઓના કાર્યક્રમ રદ્દ કરી દેવાયા છે.
#WATCH जब तक कानून वापस नहीं होगा और बंगाल के किसान को जब तक MSP पर रेट नहीं मिलेगा..तब तक दिल्ली बॉर्डर से किसान नहीं हटेंगे: नंदीग्राम में राकेश टिकैत, भारतीय किसान यूनियन के प्रवक्ता #WBpic.twitter.com/nu6AZyoBm3
હાઈવે પર પાકા મકાન બનાવતા કેસ દાખલ કર્યો
એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટર આનંદે ખેડૂતો પર કુંડળી સ્થિત કાર એજન્સીની સામેના હાઈવે પર પાકા મકાન બનાવવાનું શરૂ કરવાને લઈને કેસ દાખલ કર્યો છે. જ્યારે નગરપાલિકાએ પવન કુમારને કેએફસીની પાસે રસ્તામાં બોરવેલ લગાવવા પર કેસ નોંધ્યો છે. ઉપરના કેસમાં કોઈનું નામ લેવાયું નથી. પોલિસનું કહેવું છે કે તપાસ બાદ જ નામનો ખુલાસો કરવામાં આવશે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી કૃષિ કાયદા પરત લેવાશે નહીં ખેડૂતો ભાજપ નેતાઓનો વિરોધ કરશે. તેઓએ મલિકને કહ્યું કે તેઓ ખેડૂતોના સમર્થનમાં ભાજપથી રાજીનામું આપે. તો અન્ય તરફ મલિકે કહ્યું કે તેમને ખેડૂતોએ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના સમર્થકોએ ઘેર્યા છે. હવે ખેડૂતોના નામ પર રાજકીય પ્રતિશોધની ભાવનાથી કામ થઈ રહ્યું છે. તેઓએ કહ્યું કે આ કાયદાના પક્ષમાં 90 ટકા ખેડૂતો છે.