અંબાજી ત્રિશુલ ઘાટમાં અકસ્માત બાદ આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. RTO વિભાગે વાહન ચકાસણીમાં વધારો કરી અને ઓવરલોડ પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરી છે. જેમાં ઓવરલોડ પેસેન્જર બેસાડનાર ડ્રાઇવરનું લાઇસન્સ રદ કરવા સૂચન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઓવરલોડ પેસેન્જર બેસાડનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા પણ RTOએ સૂચન કર્યું છે. સાથે જ રાજ્યના પરિવહન મંત્રીએ આદિવાસી વિસ્તરમાં વધુમાં વધુ બસ ફેરવવાનું કહેવાયું છે.