સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઓટોમોબાઈલના ઈંધણના રૂપમાં હાઈડ્રોજન એનરીચ્ડ કોમ્પ્રેસડ નેચરલ ગેસ અથવા હાઈડ્રોજન સીએનજી ગેસને સામેલ કરવા માટે સલાહ માંગવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલ અને CNG નહીં HCNGથી ચાલશે વાહનો
HCNG એક પ્રકારનું સીએનજી જ હોય છે
મંત્રાલય દ્વારા ડ્રાફ્ટ પર માંગવામાં આવી સલાહ
HCNGના ઉપયોગ પર વિચાર
નોંધનીય છે કે વૈકલ્પિક ઈંધણ માટે દેશમાં સમય સમય પર ચર્ચા કરવામાં આવે છે. આ જ કારણ છે કે પેટ્રોલ-ડીઝલની જગ્યાએ સીએનજીને એક વિકલ્પ માનવામાં આવે છે. હવે HCNGને લઈને સલાહ માંગવામાં આવી છે.
શું છે HCNG
HCNG એક પ્રકારનું સીએનજી જ હોય છે પંરતુ તેમાં હાઈડ્રોજન ભેળવવામાં આવે છે. CNGમાં 18 ટકા હાઈડ્રોજન ભેળવી દેવામાં આવે છે. આ મિશ્રણ તેવા ભારે વાહનોમાં ઉપયોગમાં લઇ શકાય છે જે સીએનજીથી ચાલે છે.
CNG કરતા પણ સારું હોવાનો દાવો
ઈંધણમાં સીએનજી સૌથી વ્યવહારુ માનવામાં આવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે દેશમાં કેટલાક શહેરોમાં સીએનજી સ્ટેશનનું એક મજબુત નેટવર્ક ને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય.એક્સપ્રેસ ડ્રાઈવના અહેવાલ અનુસાર રિસર્ચ કરનારાઓનો દાવો છે કે HCNG ઈંધણના વપરાશ મામલે CNG કરતા પણ ચડિયાતું છે અને તેમાંથી ઉત્સર્જન પણ ઓછું થાય છે.
દિલ્હીમાં થશે પરીક્ષણ
HCNG કિટની સાથે દિલ્હીમાં 50 બસો પર પાયલટ પરીક્ષણ કરવામાં આવશે. દિલ્હીમાં સીએનજી બસ અને પંપનું એક મોટું નેટવર્ક છે તેથી પાયલટ પ્રોજેક્ટ માટે આ શહેરની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય HCNGની ખાસિયત એ છે કે થોડાક જ ફેરફાર કરવાથી તેને વાહનોમાં લાગુ કરી શકાય છે.