રાજસ્થાન બાદ ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડૉક્ટરની બેદરકારી સામે આવી છે. બાળકોની હોસ્પિટલમાં ડૉક્ટર ફરજ પર ન હોવાના કારણે દર્દીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
રાજકોટની સરકારી હોસ્પિટલનો વીડિયો વાયરલ
માતાએ બાળકના ઇલાજ માટે ડોક્ટરની જોવી પડી રાહ
સ્થાનિક સ્ટાફે આપ્યા ઉડાઉ જવાબ
હોસ્પિટલમાં 24 કલાક ડોકટર ફરજીયાત હોવા છતા ડૉક્ટર હાજર મળતા નથી. ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે એક મહિલા પોતાના બાળકને સારવાર કરાવવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી બેઠી હતી.
સાહેબની હાજરી મામલે નર્સનો ઉડાઉ જવાબ
જોકે ડૉક્ટર ન હોવાના કારણે બાળકને સારવાર મળી ન હતી. આ દરમિયાન નર્સ સ્ટાફ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ડૉક્ટરનો આવવાનો સમય નક્કી ન હોવાનું નર્સ દ્વારા જણાવવામાં આવ્યું.
વ્હાલસોયાના ઇલાજ માટે ગરીબ મા બેસી રહી સરકારી હોસ્પિટલમાં
એક તરફ બાળકોના મોતના આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યની સરકારી હોસ્પિટલમાં પોતાના વ્હાલસોયાના ઇલાજ માટે આવેલી ગરીબ બાઇ 'સાહેબ'આવી તેની રાહ જોઇને બેઠી છે. કોઇ
ત્યારે આ ગરીબ બાઇને સરકારી હોસ્પિટલનો સ્ટાફ ઉડાવ જવાબ આપી રહ્યો છે તેવો એક વીડિયો વાયરલ થયો છે. રાજ્ય સરકાર એક તરફ સંવેદનશીલ સરકારની વાતો કરી રહી છે ત્યારે રાજકોટની હોસ્પિટલનો આ વીડિયો સરકારી તંત્રનો પોલ ખોલનારો છે. કોઇએ આ ગરીબ બેન સાથે વાત કરી કે કેટલા વાગ્યાના બેંઠા છો તમે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, સવારે 5 વાગ્યાની બેઠી છું 9.30 એ સાહેબ આવશે એવું કહી રહ્યા છે સ્ટાફ.
ત્યારે આ મામલે રૂપાણી સરકાર ગંભીરતાથી નોંધ લઇને રાજકોટ સરકારી હોસ્પિટલના આ ડોક્ટર સામે તાત્કાલિક અસરથી કડક પગલા લે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
સિવિલમાં ઓક્ટોબરમાં 94 બાળકોના થયાં મોત
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.
બાળમૃત્યુદર કેમ વધ્યો?
બાળમૃત્યુદરને લઇ સવાલો પણ ઉઠી રહ્યાં છે કે માસૂમોના મોતના જવાબદાર કોણ છે? શું સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત છે?. પ્રસુતિ દરમિયાન ડૉક્ટર કેમ ધ્યાન આપતા નથી? શું સિવિલ હોસ્પિટલમાં અનુભવ ધરાવતા ડૉક્ટર નથી? અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ ધ્યાન અપાતુ નથી? અને શું હવે આંકડા સામે આવ્યા બાદ તંત્ર કામ કરશે?
સુરત સિવિલમાં પણ ડિસે.માં 66 નવજાત શિશુના મોત
વર્ષ દરમિયાન સુરત સિવિલમાં 699 શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ 59 બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્થી દર્દીઓ આવે છે. છેલ્લા 4 વર્ષમાં સુરત સિવિલમાં 2965 બાળકોના મોત થયા છે.